________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપી સાથ્વીની કથા
(૭૫)
ખાત્રી કરવા માટે તેણે ભેજનની બધી સામગ્રી રાજસભામાં મંગાવી અને હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે– હવે તે રાજાનું નામ લે.” એટલે મંત્રીએ રૂપી રાજા એવું નામ જણાવ્યું એવામાં તરત જ એક રાજપુરુષે આવીને રાજાને નિવેદન કર્યું કે-“ શત્રુરાજાએ આપના નગરને ઘેરે ઘા છે. એમ સાંભળતાં જ હાથમાં લીધેલ કવળ પડતું મૂકી રાજા શત્રુની સામે યુદ્ધ કરવા ચાલ્યા. બંને રાજાઓ વચ્ચે પરસ્પર મોટું યુદ્ધ થયું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ મંત્રી પણ ત્યાં ગયે. તેને મારવા માટે શત્રુના સુભટે તેની સામે દેડી આવ્યા એટલે શાસનદેવતાએ તેમને તંભિત કરી દીધા. ત્યાં આકાશવાણ થઈ કે –“વસ્તુ રન્નાહાય બ્રહ્મચર્ય ” એટલે “ અખંડ બ્રહ્મચારી એવા શીલસન્નાહને નમસ્કાર થાઓ.” એમ કહીને શાસનદેવીએ તેના પર પુષ્પની વૃષ્ટિ કરી. ઉક્ત વાક્ય સાંભળતાં શીલસન્નાહને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને અવધિજ્ઞાન પણ તરત જ ઉત્પન્ન થયું એટલે તેણે પંચમુષ્ટિ લેચ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી યુદ્ધ કરનારા બંને રાજાએ યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે આ ભવમાં ઉપદેશાદિક શુભ નિમિત્ત વિના અન્ય કાર્ય માટે મૌનવ્રત અંગીકાર કર્યું. પૂર્વભવે ચારિત્ર પાળીને તે પ્રથમ દેવલોકમાં દેવતા થયા હતા, ત્યાંથી ચ્યવી અત્યારે એ શીલસન્નાહ મંત્રી થઈને સ્વયં બુદ્ધ મુનિ થયા.
ચારિત્ર લીધા પછી શીલસન્નાહ મહાત્મા વિહાર કરતા કરતા એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે રૂપી રાજા પિતાના સામત સહિત ઉદ્યાનમાં આવી. ત્યાં ગુરુના મુખથી ધર્મોપદેશ સાંભળી રૂપી રાજાએ ચારિત્ર
For Private and Personal Use Only