Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર મિથ્યાદષ્ટિએ કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે ઉપરના શ્રેયક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દીક્ષા લીધી ત્યારથી જેમનું ચારિત્ર અગ્નિ છે, તેવા અખંડિત સંયમવાળાએ કમમાં કમ સૌધર્મકલ્પમાં અને વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. તેમનાથી ઊલટા એટલે કે ખંડિત સંયમવાળાએ કમમાં કામ ભવનવાસીમાં અને વધારેમાં વધારે સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થાય છે. સ્વીકાર કર્યો ત્યારથી જેઓનો દેશવિરતિર પરિણામ અખંડિત છે તેવા અખંડિત – સંયમસંયમો કમમાં કમ સૌધર્મકલ્પમાં અને વધારેમાં વધારે અશ્રુતકલ્પમાં ઉત્પન્ન થાય છે. તેમનાથી ઊલટા ખંડિત–સંયભાસંયમ કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય છે. મરજી વિના થતી અકામ નિર્જરાવાળા (પરાણે તપ સહે છે તેવા) કમમાં કમ ભવનવાસીમાં અને વધારેમાં વધારે વાનગૅતરમાં ઉત્પન્ન થાય છે; બાકીના (હવે પછી જણાવેલા) બધાની કમમાં કામ ઉત્પત્તિ ભવનવાસીમાં છે. અને વધારેમાં વધારે નીચે પ્રમાણે છેઃ
૧. સંજવલન કષાયના સામર્થ્યથી તેઓમાં શેડો માયાદિ. દેષ સંભવે છે; પણ તેઓએ ચારિત્રને ઉપઘાત કર્યો નથી. –ટીકા.
૨. વિરતિ એટલે વિરમવું તે; હિંસાદિ પાપમાંથી અંશતઃ નિવૃત્ત થવું તે દેશવિરતિ. જેમકે “જંગમ જીવોની હિંસા ન કરવી” એવો નિયમ લેનાર સ્થૂલ અહિંસા વ્રતવાળો છે. તેને સંયમા સંચમી” પણ કહેવાય. કારણ કે જગમ જાની અહિંસાની દૃષ્ટિએ તે સંચમી છે, અને અન્ય જીવોની હિંસાની દષ્ટિએ તે અસંયમી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org