Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪
અલગતાસાર આવીને કહેવા લાગ્યું, “આપના ઘણું શિષ્યો હજુ છક્વસ્થ છે, કેવલજ્ઞાની નથી, પરંતુ હું તે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારે અહંત, જિન અને કેવલી થઈને વિહરું છું.'
ત્યારે ગૌતમે તેને કહ્યું કે, કેવલજ્ઞાનીનું જ્ઞાન કે દર્શન પર્વત વગેરેથી આવૃત કે નિવારિત થતું નથી. તો તું જે કેવલજ્ઞાની હોય, તો મને આ બે પ્રશ્નોને ઉત્તર આપ. હે જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત ? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત ?
ત્યારે જમાલિ આ પ્રશ્નોને ઉત્તર આપી શકો નહીં અને ચૂપ રહ્યો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, “હે જમાલિ! મારા ઘણું છદ્મસ્થ શિષ્યો આ બે પ્રશ્નોનો મારી પેઠે ઉત્તર આપવા સમર્થ છે, છતાં તેઓ તારી પેઠે એમ કહેતા નથી કે, “અમે સર્વજ્ઞ અને જિન છીએ.” હે જમાલિ! લોક શાશ્વત છે; કારણ કે તે કદાપિ ન હતો એમ નથી; તેમ જ તે કદાપિ નથી અને હશે નહીં એમ પણ નથી. પરંતુ લોક હતા, છે અને હશે. તે શાશ્વત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી હે જમાલિ! લોક અશાશ્વત પણ છે. કારણ કે અવસર્પિણ થઈને ઉત્સર્પિણી થાય છે; અને ઉત્સર્પિણ થઈને અવસર્પિણ થાય છે. તે જ પ્રમાણે જીવ પણ નિત્ય છે, તેમ જ અશાશ્વત પણ છે, કારણ કે તે નરયિક થઈને તિર્યચનિક પણ થાય છે; અને તિર્યચોનિક થઈને મનુષ્ય, તથા મનુષ્ય થઈને દેવ પણ થાય છે.
પરંતુ જમાલિને આ વાત ગમી નહીં; તેથી તે ત્યાંથી બીજી વાર ચાલી નીકળ્યો. ત્યાર બાદ તે અસત્ય ભાવ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org