Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર લાગે તેવ, હીન સ્વરવાળા, દીન સ્વરવાળા, અનિષ્ટ સ્વરવાળા, અકાંત સ્વરવાળે, અપ્રિય સ્વરવાળો, અશુભ સ્વરવાળે, અમનોજ્ઞ સ્વરવાળે, સંભાર્યો પણ સારે ન લાગે તેવા સ્વરવાળે અને જેનું વચન કોઈ ન માને તેવો. (અનાદેયવચન) થાય; પણ જે તેનાં કર્મો શુભ હોય તો. તેથી ઉલટું થાય.
ગૌ–હે ભગવન! તે એ પ્રમાણે છે; હે ભગવન !: તે એ પ્રમાણે છે.૧
– શતક ૧, ઉદ્દે ૭.
કાળાંતરે પાણીને વરસવામાં જે નિમિત્તરૂપ હોય તે ઉદકગર્ભ” કહેવાય છે. તે ઉદકગર્ભ ચાર પ્રકારનો કહ્યો. છે: એસ, ધૂમસ, ખૂબ ઠંડક અને ખૂબ તડકે. આ ચારમાંની કોઈ વસ્તુ જે દિવસે થાય, તે દિવસથી માંડીને વધારેમાં વધારે છ માસ પછી તે જરૂરી પાણીને વરસાવે, જે તે અખંડિત હોય છે. મહા માસમાં હિમપાત, ફાગણ માસમાં વાદળાંને ઘેરા, ચૈત્ર માસમાં અત્યંત ઠંડી તથા ગરમી, અને વૈશાખ માસમાં વીજળી, પાણી, પવન અને વાદળાં તથા આગળ ગણાવેલાં તમામ – એ ઉદકગર્ભ કહેવાય છે.
૧. તદુલચારિક પ્રકીર્ણકમાં ગર્ભ તથા શરીર સંબંધે આપેલી વિશેષ હકીકત માટે જુઓ આ પ્રકરણને અંતે ટિન ૧ પા. ૨૭
* વધુ માટે જુએ સ્થાનાંગ ચતુર્થરથાન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org