Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ચાલતું ચામું કહેવાય ૫૯ તે ક્રિયા નકામી ગણાય છે. તો પછી પટ જેમ પ્રથમ સમયે ઉત્પન્ન થતો નથી, તેમ ઉત્તર સમયને વિષે પણ ઉત્પન્ન ન જ થવો જોઈએ. કારણકે ઉત્તર સમયની ક્રિયાઓમાં શું વિશેષતા છે કે, જેથી પ્રથમ સમયની ક્રિયાથી પટ ઉત્પન્ન ન થાય અને ઉત્તર સમયની ક્રિયાઓથી થાય ?” તાત્પર્ય એ છે કે જ્યારે અંત્ય સમયે આપણે પટને ઉત્પન્ન થયેલો જોઈએ છીએ, ત્યારે તે પટને અંત્ય સમયની પહેલા આદિ દરેક સમયમાં અંશે અંશે ઉત્પન્ન થત માનવો જ જોઈએ. અર્થાત ઉત્પદ્યમાન પટ ઉત્પન્ન થાય છે, એ મંતવ્ય નિર્વિવાદ છે.
–શતક ૧, ઉદ્દે ૧, ૧૦
રાજગૃહનગરમાં ગુણશિલક ચેત્યની આસપાસ ઘેડે દૂર ઘણા અન્યતીથિકો રહેતા હતા. તેઓ ભગવાનને સ્થવિરેને આવીને કહેવા લાગ્યા કે, “તમે અસંયમી અને પાપી છે. કારણ કે તમે અદત્ત (કેઈએ નહિ આપેલ) પદાર્થનું ગ્રહણ કરે છે, અદત્ત પદાર્થને ખાઓ છો અને અદત્તને સ્વાદ તો છો, કારણ કે તમને આપવામાં આવતો પદાર્થ
જ્યાં સુધી પાત્રમાં પડવ્યો નથી, તેવામાં વચમાંથી કોઈ તે પદાર્થને લઈ લે, તો દાતા ગૃહસ્થના પદાર્થનું અપહરણ થયું કહેવાય; પણ તમારા પદાર્થનું અપહરણ થયું ન કહેવાય. માટે તમે અદત્તનું ગ્રહણ અને ભજન કરે છે. એમ કહેવાય. અને તે કારણે તમે જરૂર અસંયમી ઇત્યાદિ
છો!”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org