Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર કે બાળે, તો તે જીવપ્રદેશને પીડા ઉત્પન્ન કરે છે તેના કોઈ અવયવને છેદ કરે ?
મ૦ –હે ગૌતમ ! એ વાત બરાબર નથી; કેમકે જીવપ્રદેશને શસ્ત્ર અસર કરતું નથી.
- શતક ૮, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન્ ! જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ?
મ–હે ગૌતમ! જીવ નિયમથી સપ્રદેશ છે. અનાદિપણાને લીધે જીવની અનંત સમયની સ્થિતિ હોવાથી તેને સપ્રદેશપણું છે. જે એક સમયની સ્થિતિવાળો હોય તે કાળની અપેક્ષાએ અપ્રદેશ છે; પણ જે એકથી વધારે સમયની સ્થિતિવાળો હોય, તે કાલની અપેક્ષાએ સપ્રદેશ છે.
ગૌ–હે ભગવન્! નૈરયિક જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ?
મહ–હે ગૌતમ! જે નૈરયિક જીવને ઉત્પન્ન થયાં એક જ સમય થયું છે, તે કાલની અપેક્ષાએ અપ્રદેશ કહેવાય, અને પ્રથમ પછીના બે વગેરે સમયમાં વર્તત નૈરયિક કાલની અપેક્ષાએ સપ્રદેશ કહેવાય.
– શતક ૬, ઉદ્દે ૪
ગૌ
–હે ભગવન !
જીવ પુગલી છે કે પુદ્ગલ છે?
૧. કાળને સૂમમાં સૂકમ – અવિભાજ્ય અંશ – સમય કહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org