Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૪૮૬
શ્રીભગવતી–સાર એ ચારે ગુણ છે; કારણકે મન સર્વવ્યાપી, નથી; અને જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે.
સ્પર્શી આઠ છે: નરમ, ખરબચડે; ભારે, હળવે ઠંડે, ઉને, ચીકાશવાળે અને લૂખે. એ આઠમાંના ચાર જ સ્પર્શી પરમાણુઓમાં હોઈ શકે. ચીકાશદાર, લૂખો, કંડે અને ઊને. અને મેટા ઔધોમાં તો એ આઠે સ્પર્શી યથોચિતપણે હોઈ શકે. પરમાણુ સૂમ છે, તથા નિત્ય છે.. તેમાં એક રસ, એક વર્ણ, અને એક ગંધ. હેાય છે, તથા ઉપરના ચાર સ્પર્શીમાંના કોઈ પણ બે અવિરુદ્ધ સ્પર્શ એક, પરમાણુમાં એક જ કાળે હોય છે. તેમાં નિયમ એ છે કે, જેમાં સરખી ચીકાશ હોય અને જેમાં સરખી લૂખાશ હોય તેવા પુદ્ગલો પરસ્પર ચેટતા નથી; પણ એકબીજા કરતાં ઓછી વધતી (એટલે કે બેગણી કે તેથી વધુ) ચીકાશ. અને લૂખાશવાળા પુદ્ગલે પરસ્પર ચોટી જાય છે. એટલે કે જેમ એકબીજા કરતાં ઓછી વધતી ચીકાશવાળા બે પરમાણુ પરસ્પર ચોટી જાય, તેમ એકબીજા કરતાં એ છીવધતી લૂખાશવાળા પણ પરસ્પર ચેટી જાય છે. •
–શતક ૧, ઉદે. ૧૦.
ગૌ–હે ભગવન ! પરમાણુપુદ્ગલ કંપે ? મ–હે ગૌતમ! કદાચ કરે અને કદાચ ન કંપ.
૧. એટલે કે એ ચારમાંથી અવિરોધી એવા ગમે તે બે, ગમે તે એક પરમાણમાં હોય.
૨. આ વિષે વધુ વિગત માટે જુઓ તત્વાર્થસૂત્ર, અધ્ય૦ ૫, સૂ. ૩૨–૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org