Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી ભગવતીન્સાર મ–હે ગૌતમ! જંબુદ્દીપ નામના આ દ્વીપમાં ભરત અને એરવત ક્ષેત્રમાં અરહંતો, ચક્રવર્તીએ, બળદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધરો, શ્રમણ, શ્રમણ, શ્રાવિકાઓ, અને એક ધર્મવાળા મનુ રહે છે, તેઓ સ્વભાવે ભદ્ર, વિનીત, અને ઉપશાંત હોય છે; સ્વભાવથી જ તેઓના ક્રોધાદિ કષાયો મંદ હોય છે; તેઓ સરળ અને કેમળ હોય છે; તથા તેઓ જિકિય, ભદ્ર, અને નમ્ર હોય છે. તેવાં મનુષ્યના પ્રભાવથી લવણસમુદ્ર જબુદ્ધીપને ડુબાડતું નથી, અને જલમય કરી શકતા નથી.
– શતક પ, ઉદ્દે ૨ ૪: કર્મ અને અકર્મભૂમિ ગૌ–હે ભગવન ! કર્મભૂમિઓ કેટલી છે?
મ–હે ગૌતમ! પંદર છે : પાંચ ભરત, પાંચ અરવત, અને પાંચ મહાવિદેહ.
ગૌ૦–હે ભગવન્! અકર્મભૂમિએ કેટલી કહી છે?
મ–હે ગૌતમ! ત્રીશ કહી છે. પાંચ હૈમવત, પાંચ હરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ.૧
ગૌ–હે ભગવન્! એ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણું અને અવસર્પિણરૂપ કાળ છે? ઉ૦ નથી.
૧. દેવકુરુ અને ઉત્તરકુરુ વિભાગે વિદેહની અંદરના છે; છતાં તે કર્મભૂમિઓ નથી. કેમકે ત્યાં યુગલધર્મ (જેડકાંરૂપે જન્મવું, અને તે જ જેડકાએ પતિપત્નીરૂપે રહેવું ઇ૦) હોવાથી ચારિત્રનો સંભવ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org