Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ક વિશે કેટલીક વિગત ૭૧ ગૌ–હે ભગવન! અન્યતીર્થિકે એમ કહે છે કે, એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે : આ ભવનું અને પરભવનું. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે, તે સમયે પરભવનું કરે છે, અને જે સમયે પરભવનું કરે છે, ત્યારે આ ભવનું કરે છે. વળી આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું કરે છે, અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે ?
મહ–હે ગૌતમ ! તે લોકોનું કહેવું ખોટું છે. હું એમ કહું છું કે, એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું.
– શતક ૧, ઉદે. ૯ ગૌ-–હે ભગવન ! અન્યતીર્થિકે એમ કહે છે કે, જેમ જાળ એક છે, પણ તેમાં જેમ અનેક ગાંઠે પરસ્પર વળગી રહેલી છે, તેમ ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં ઘણાં આયુષ્ય ઘણા જીવો ઉપર પરસ્પર ક્રમે કરીને ગૂંથાયેલાં છે. તેથી તેમને એક જીવ પણ એક
૧. આ મતને અર્થ સ્પષ્ટ સમજાતું નથી. ટીકાકાર કહે છે કે, “તેઓના મત પ્રમાણે “જીવ પોતાના પર્યાયોના સમૂહરૂપ છે. તેથી જ્યારે તે આયુષરૂપ એક પર્યાયને કરે છે. ત્યારે બીજાને પણ કરે છે. પરંતુ તેમનું કહેવું ખોટું છે. કારણ કે આત્મા જયારે સિદ્ધત્વ પર્યાયને કરે છે, ત્યારે સંસારિત્વ પયયને નથી કરતો, તેમ જીવ એક કાળે બે આયુષને ન કરી શકે.”
૨. આ ભવનું એટલે જે આયુષ્યના ફળરૂપ આ ચાલું ભવ છે, તે આયુષ. – ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org