Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૮
શ્રી ભગવતી-સાર બોલવું તે), ચાંડિક્ય (રૌદ્રાકાર), લંડન (દંડાથી યુદ્ધ કરવું તે), અને વિવાદ (વિરોધથી ઉત્પન્ન થયેલાં વચને)
– એ બધાં (થી થતાં કર્મોને કે તે બધાને ઉત્પન્ન કરનાર કર્મને) પણ તેમ જ જાણવાં.
તે જ પ્રમાણે માન અને તેના વિશેષ – જેવા કે મદ (હર્ષ), દર્પ, સ્તંભ (અનમન), ગર્વ (અહંકાર), અત્યુત્ક્રોશ. (બીજાથી પોતાની ઉત્કૃષ્ટતા બતાવવી તે), પરંપરિવાર (નિંદા), ઉત્કર્ષ (ભાનથી પિતાની કે પરની ક્રિયાને ઉત્કૃષ્ટ. કરવી તે), અપકર્ષ (અભિમાનથી પિતાના અથવા પરના કોઈ પણ કાર્યથી બંધ પડવું તે), ઉન્નત (પૂર્વે પ્રવૃત્ત નમનને ત્યાગ; અથવા “ઉ” અભિમાનથી નીતિને ત્યાગ), ઉનામ (નમેલાને અભિમાનથી ન નમવું), અને. દુનીમ (ભદથી દુષ્ટ રીતે નમવું) – વિષે પણ જાણવું.
તે જ પ્રમાણે માયા અને તેના વિશે – જેવા કે. ઉપાધ (છેતરવા ચગ્ય મનુષ્યની પાસે જવાને કારણભૂતભાવ), નિકૃતિ ( આદર વડે બીજાને છેતરવો તે), વલય ( વક્રતાજનક સ્વભાવ), ગહન (ન સમજી શકાય તેવી વચનજાલ , નમ (બીજાને ઠગવા નીચતાનો કે નીચા સ્થાનને આશ્રય કરે તે), કલ્ક (હિંસાદિ નિમિત્તે બીજાને છેતરવાનો અભિપ્રાય), કુપા (નિન્દ્રિત રીતે મેહ પમાડનાર અભિપ્રાય), જિહ્મતા (બીજાને છેતરવાની બુદ્ધિથી કાર્યમાં મંદતાનું અવલંબન), કિલિબષ (જે માયાથી અહીં જ કિબિષકના જે થાય તે), આદરણુતા (માયાવિશેષથી કોઈ પણ વસ્તુનો આદર કરવો તે; અથવા બીજાને છેતરવા વિવિધ ક્રિયાનું આચરણ કરવું તે આચરણતા.'),
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org