Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આઠ કમપ્રકૃતિએ
૫૩ કર્મયુગલો જીવ દ્વારા ગ્રહણ યા કર્મરૂપે પારણામ પામે છે તેની સાથે જ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, વગેરે અંગેનું નિર્માણ થાય છે. પ્રકૃતિ એટલે જ્ઞાનને આવરવાનો વગેરે સ્વભાવ. તે પ્રકૃતિએ આઠ પ્રકારની છે.
ગૌ –હે ભગવન! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે?
મ-હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિએ કહી છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય (જેથી સુખદુઃખાદિ અનુભવાય તે), મોહનીય, આયુષ, નામ (જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય તે), ગોત્ર, અને અંતરાય (જેનાથી દેવા-લેવા-ભાગવવામાં અંતરાય આવે તે ).
ગૌ –હે ભગવન્! જે જીવને જ્ઞાનાવરણય કર્મ છે, તેને શું દર્શનાવરણીય કર્મ છે? અને જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે?
ભ૦–હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય છે, તેને અવશ્ય દર્શનાવરણીય હોય છે, અને જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે.
ગૌ–હે ભગવન્! જેને જ્ઞાનાવરણય છે તેને શું વેદનીય હોય છે? તથા જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય છે ?
મ–હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય વિદનીય છે; અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કદાચ હોય કે કદાચ ન હોય. (કેવલજ્ઞાનીને વેદનીય હોય, પણ -જ્ઞાનાવરણીય ન હોય.)
ગૌ –હે ભગવન ! જેને જ્ઞાનાવરણીય છે તેને શું મોહનીય છે? તથા જેને મેહનીય છે, તેને જ્ઞાનાવરણીય છે?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org