Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીવનાં મરણ, જન્મ અને મેક્ષ ૪૫ મહ–હા ગૌતમ! તે સિદ્ધ થશે ને તેણે સર્વ દુઃખાનો નાશ કર્યો. વર્તમાનકાળમાં પણ તેમ જ છે અને ભવિષ્યકાળમાં પણ તેમ જ થશે.
ગૌ–– હે ભગવન! તે જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરનારા અરિહંત, જિન અને કેવલજ્ઞાની પુરુષે “અલમસ્તુ' – પૂર્ણ કહેવાય ? ભ૦––હા ગૌતમ ! તેઓ “અલમસ્તુ'–પૂર્ણ કહેવાય.
– હે ભગવન ! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે.
- શતક ૧, ઉ૦ ૪ ગૌ–હે ભગવન ! કર્મરહિત જીવની ગતિ સ્વીકારાય ? મ––હા ગૌતમ ! સ્વીકારાય.
–હે ભગવન્! કર્મરહિત જીવની ગતિ કેવી રીતે સ્વીકારાય ?
મ–હે ગૌતમ ! (૧) નિઃસંગપણથી, નીરાગપણથી અને ગતિના પરિણામથી.' (૨) બંધનને છેદ થવાથી, (૩) નિરિધન થવાથી – કર્મરૂપ ઈધનથી મુક્ત થવાથી અને (૪) પૂર્વ પ્રગથી કર્મ રહિત જીવની ગતિ સ્વીકારાય છે.
૧, જેમ કોઈ પુરુષ છિદ્ધ વિનાના સૂકા તુંબડાને ક્રમ પૂર્વક અત્યંત સંસ્કાર કરીને ડાભ અને કુશવડે વટે, ત્યાર પછી તેને માટીના આઠ લેપથી લીંપે, લીંપીને તાપમાં
૧. વજન ઓછું થઈ જવાથી નીચેની કે તીરછી ગતિ બદલાઈ, ઉપર જતી ગતિ થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org