Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જીનું વર્ગીકરણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરન્દ્રિય; ૧૧. અપર્યાપ્ત અસંજ્ઞી પંચૅકિય; ૧૨. પર્યાપ્ત અસંજ્ઞી પંચેદિય; ૧૩. અપર્યાપ્ત સંજ્ઞી પંચૅષિ અને ૧૪. પર્યાપ્ત સંજ્ઞી પંચેયિ.
શતક ૨૫, ઉદ્દે ૧ વિવરણ: ઉપર જે પર્યાપ્ત કે અપર્યાપને ઉલ્લેખ છે, તેના વિષે કાંઈક વિગતથી સમજવાની જરૂર છે.
જિનદર્શનમાં શરીરને રચનાર તરીકે કઈ ઈશ્વર કે માત્ર જડપંચમહાભૂતનું સંમિલન જ સ્વીકાર્યા નથી. તેને મતે કર્મો વડે બદ્ધ આત્મા જ તેવા પ્રકારનાં પુત્રો દ્વારા શરીર રચે છે. તેનું પિષણ અનુકૂળ આહાર વડે થાય છે. એટલે કે, આહારને લેહી માંસ ઇત્યાદિરૂપે પરિણામ થાય છે અને તેને અંતિમ વિકાસ પ્રક્રિયારૂપે થાય છે. આમ થવામાં કેટલાક, શરીરની એવા પ્રકારની યંત્રરચનાને જ કારણ માને છે; તો બીજાઓ તે માટે શકિતવિશેષના મહત્વને સ્વીકારે છે; જયારે, જૈનદર્શન તેમ થવામાં પુદ્ગલની જ ખાસ એક શક્તિને સ્વીકારે છે, અને તેને “પર્યાપ્તિ કહે છે. તેને સામાન્ય અર્થ “સંપૂર્ણ નિર્માણ થાય છે. તો પણ તેનો વિશેષ અર્થ એ છે કે, “પુદ્ગલોના સમૂહથી થનાર અને પુગલોને લેવામાં તથા પરિમાવવામાં હેતુભૂત શક્તિવિશેષ', તે પર્યાપ્તિ. વિષયેના ભેદ વડે તે છ પ્રકારની છે : ૧. આહારપર્યાપ્તિ – જેના દ્વારા બહારના આહારને લઈને રસપણું પમાડાય છે. ૨. શરીરપર્યાપ્તિ – રસરૂપ થયેલો
૧. ભગવતીસૂત્ર, શતક ૩, ઉદે ૧, પ્ર. ૧૧માં પાંચ પર્યાપ્તિ જણાવી છે; પણ ત્યાં ભાષા અને મન:પર્યાપને ભેગી ગણેલી છે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org