Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-૨ વધારેમાં વધારે શક્તિની અપેક્ષાએ અલોકને વિષે અસંખ્ય લોકપ્રમાણ ખંડને જાણે અને જુએ. કાળથી અવધિજ્ઞાની ઓછામાં ઓછું આવલિકાના અસંખ્યાતમા ભાગને, અને વધારેમાં વધારે અસંખ્યાત ઉત્સર્પિણું અને અવસર્પિણી જેટલા અતીત અનાગતકાળને જાણે અને જુએ, એટલે કે તેટલા કાળમાં રહેલાં રૂપી દ્રવ્યને જાણે. અવાધજ્ઞાની ફક્ત મૂર્ત દ્રવ્યોનો સાક્ષાત્કાર કરી શકે છે; અમૂર્તીને નહિ, તેમ જ મૂર્ત દ્રવ્યોનો પણ સમગ્ર પથાને તે જાણી શકતો નથી.
મનઃ પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરે છે; પરંતુ અવધિજ્ઞાન જેટલાં દ્રવ્યોનો નહિ. કેમકે, અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં પુગલદ્રવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મનઃપયોયજ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂપ બનેલાં પુદગલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંદરનાં જ ગ્રહણ કરી શકાય છે. મને પર્યાયજ્ઞાન પણ ગમે તેટલું શુદ્ધ હોય તોય ગ્રાહ્ય દ્રવ્યના સંપૂર્ણ પર્યાયોને જાણી શકતું નથી. વળી તે જ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તો ચિંતનશીલ મૂર્ત મનને થાય છે; છતાં પછી થનાર અનુમાનથી એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તિ અમૂર્ત બધાં દ્રવ્યો જાણી શકાય છે.
મન:પર્યાયજ્ઞાનના બે ભેદ જુમતિ (સામાન્યગ્રાહી) અને વિપુલમતિ (અનેક વિશેષગ્રાહી) ના વિષય હવે વિગતવાર વર્ણવવામાં આવે છેઃ ઋજુમતિજ્ઞાન સામાન્ય – કેટલાક પર્યાયવિશિષ્ટ મને દ્રવ્યનું જ્ઞાન હોય છે. જેમકે તેણે ઘટ ચિંતવ્યો'. આ પ્રમાણે તે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોએ મનરૂપે પરિણામાવેલ મને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org