Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
જમાલિ
સામાન્ય પુરુષોને દુષ્કર છે; પણ ધીર, નિશ્ચિત અને પ્રયત્નવાના પુરુષને તેનું અનુપાલન જરા પણ દુષ્કર નથી.
આમ જ્યારે તેઓ જમાલિને કઈ રીતે સમજાવવાને સમર્થ ન થયાં, ત્યારે વગર ઈચ્છાએ તેઓએ તેને દીક્ષા લેવા અનુમતિ આપી. પછી બે લાખ નૈયા વડે તેઓએ બહાદુકાનમાંથી એક રજોહરણ અને પાત્ર મંગાવ્યું, તથા એક લાખ સેનૈયા આપીને હજામને બોલાવ્યો. અને જમાલિના. ચાર આંગળ જેટલા ભાગમાં વાળ છોડી બાકીના વાળ, કપાવી નંખાવ્યા. તે કેશ તેની માતાએ સફેદ વસ્ત્રમાં યત્નપૂર્વક ગ્રહણ કર્યા તથા તેમને ગંદકથી જોઈને ગંધમાલ્ય વડે પૂજ્યા અને શુદ્ધ વસ્ત્ર વડે બાંધીને રત્નકરંડમાં મૂક્યા. પછી હાર, પાણીની ધાર, સિંદુવારનાં પુષ્પ અને તૂટી ગયેલી, મોતીની માળા જેવાં દુસહ આંસુ પાડતી તે બોલી કે, ઉત્સવો, તિથિએ અને પર્વોમાં હવે મારે માટે આ કેશ જ જમાલિકુમારને દર્શનરૂપ થશે. ત્યારબાદ તે કેશ તેણે પોતાને એશિકે મુકાવ્યા.
પછી જમાલિનાં માતપિતાએ ઉત્તર દિશા તરફ બીજું, સિંહાસન મુકાવ્યું, અને તેના ઉપર બેસાડીને જમાલિને, નવરાવ્યો; પછી તેને સફેદ રેશમી વસ્ત્ર પહેરાવ્યું; તથા મુકુટ,
૧. કુત્રિકાપણ–જેમાં ત્રણે ભુવનની વસ્તુ મળી શકે. તેવી દુકાન.
૨. મૂળમાં, હજામે પ્રથમ સુગંધી ગંદકથી હાથ ધોયા અને શુદ્ધ આઠ પડવાળા વસ્ત્રથી મોઢાને બાંધ્યું – એટલું વધારે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org