Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૦
ગંગદત્ત દેવ તે કાળે ઉત્સુકતીર નામે નગર હતું. તેની બહાર એકજંબુક નામે ચિત્ય હતું. એક વખત મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. તે વખતે શક્ર દેવેન્દ્ર મહાવીર ભગવાનને આવી સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી ઉતાવળપૂર્વક ભગવાનને વંદન કરી, દિવ્ય વિમાન ઉપર પાછા ચડી, જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ચાલ્યો ગયો. તે પ્રશ્નો આ પ્રમાણે હતા : હે ભગવાન ! મેટી ઋદ્ધિવાળા દેવ બહારના પુગલો ગ્રહણ કરીને જેમ અહીં આવવાને સમર્થ છે, તેમ બહારના પગલાને ગ્રહણ કરીને જવા–બેલવા–ઉત્તર દેવા–આંખ ઉઘાડવા મીંચવા –શરીરના અવયવોને સંકોચવા પહોળા કરવા–સ્થાન શમ્યા કે સ્વાધ્યાય ભૂમિ (નિવઘા) ભોગવવાને–વૈક્રિય રૂ૫ ધારણ કરવાને--અને વિષપભોગ કરવાને સમર્થ છે?
તેના જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે, હે શક્ર, મેટી ઋદ્ધિવાળો દેવ બહારના પુદ્ગલો ગ્રહણ કરીને એ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org