Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સાધુ- ટિપણે દર્શનમાં આત્માના પણ અણુઓ–પ્રદેશ માનવામાં આવ્યા છે, પણ તે પ્રદેશ કોઈ પણ પ્રકારે જુદા જુદા થઈ શકતા નથી. તેઓનો એકબીજા સાથેનો સંબંધ અકૃત્રિમ અને અવિનશ્વર છે. તે આત્મપ્રદેશમાં સંકોચશક્તિ અને વિકાસશક્તિ છેઃ જેમ દીવાને પ્રકાશ આખા ઓરડામાં પણ ફેલાઈ શકે, અને તેના ઉપર ફૂડું ઢાંકીએ તે તેટલા ભાગમાં પણ સંકોચાઈ શકે તેમ, આત્માને જે શરીર પ્રાપ્ત થાય તે પ્રમાણે તે લાબો પહોળ. થાય છે. કેટલીક વાર કેટલાંક કારણોને લઈને આત્મા પોતાના પ્રદેશોને શરીરથી બહાર પણ પ્રસરાવે છે, તથા પાછા સંકેચી લે છે. તેને સમુદ્રઘાત કહે છે. જેમ કેઈ પક્ષીની પાંખ ઉપર ખૂબ ધૂળ ચડી ગઈ હોય, ત્યારે તે પક્ષી પિતાની પાંખેને પહોળી કરી તેના ઉપરની ધૂળ ખંખેરી નાખે છે, તેમ આત્મા પિતા ઉપર ચડેલ કર્મના અણુઓને ખંખેરવા આ સમુદ્યાતક્રિયા કરે છે.
૧. જ્યારે કોઈ જીવ વેદનાથી રિબાય છે, ત્યારે અનંતાનંત કર્મ સ્કંધોથી વીંટાયેલા પિતાના પ્રદેશને શરીરથી બહારના ભાગમાં પણ પ્રસરાવે છે. તે પ્રદેશો શરીરનાં પિલાણમાં તથા લંબાઈ અને પહોળાઈમાં શરીર જેટલી. જગામાં વ્યાપીને રહે છે. એક અંતર્મુહૂર્ત સુધી તે પ્રકારે જીવ રહે. છે. તેટલા કાળમાં તે અશાતાદનીય કર્મનાં ઘણાં પુગલને– (જે કર્મયુગનો રસ બીજે વખતે અનુભવમાં આવનાર છે, તેને પણ ઉદીરણકરણ વડે ખેંચીને વેદી લે છે), પિતા ઉપરથી ખંખેરી નાખે છે. એ ક્રિયા “વેદના મુદ્દઘાત' કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org