Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉદાયન રાજા તે સમયે સિંધુ સૌવીર દેશને વિષે વિતભય નામે નગર હતું. તેના ઈશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. તે નગરને વિષે ઉદાયન નામે રાજ હતું. તેને પ્રભાવતી નામની રાણી હતી, તથા તે રાણુથી થયેલો અભીચિ નામે કુમાર હતું. તે રાજાને કેશકુમાર નામે ભાણેજ હતા. તે ઉદાયન રાજા સિંધુસૌવીર વગેરે ૧૬ દેશે, વીતભય વગેરે ત્રણસે ને ત્રેિસઠ નગર અને ખાણે તથા જેમને છત્ર-ચમાર-વીંજણ હાથમાં આપેલા છે એવા મહાસન વગેરે દશ મુકુટબદ્ધ
• આ મહાસેન તે ઇતિહાસ પ્રસિદ્ધ અવન્તીને પ્રાંત અથવા ચંડપ્રદ્યોત. તેની સાથેના યુદ્ધની વિગત આવ૦ સૂત્ર ટીકા પા. ૨૯૬–૩૦૦માં આ પ્રમાણે વર્ણવેલી છે. કેટલાક મુસાફરોને સમુદ્રના તોફાનમાંથી બચાવી એક દેવે ચંદનની જિનકમૂર્તિ આપી હતી. તેને હદાયનની રાણું પ્રભાવતીએ પોતાના મહેલમાં સ્થાપી હતી. રાણીના મૃત્યુ પછી એક કૂબડી દાસી તેની પૂજા કરતી હતી. દેવીપ્રભાવવાળી ગોળીઓ ખાતાં તે દાસી અપૂર્વ સુંદરી બની ગઈ. પછી તેની ઈચ્છાથી ઉજજયિનીને ચંપ્રદ્યોત તે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org