Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આય શ્રીકંદક ચડી, મેઘના સમૂહ જેવા વર્ણવાળી અને દેવોને ઊતરવાના ઠેકાણરૂપ કાળી શિલાને જોઈતપાસી, તેના ઉપર ડાભને સંથારે પાથરી, ખાનપાનનો ત્યાગ કરી, સંલેખના વ્રત સ્વીકારી, તથા મૃત્યુની કાંક્ષા તજી, હું વૃક્ષની પેઠે સ્થિર થાઉં.
તે પ્રમાણે મહાવીર ભગવાનની અનુમતિ મેળવીને તે સ્કંદ મુનિ વિપુલ પર્વત ઉપર ધીરે ધીરે ચડ્યા અને કાળી શિલાને ભાગ જોઈતપાસી, પાસે ભલમૂત્રનાં સ્થાને જોઈ તપાસી, તેના ઉપર ડાભને સંથારો પાથરી, પૂર્વ દિશામાં મુખ રાખી, પર્યકાસને (પદ્માસને બેસી, દશે નખ સહિત બંને હાથ ભેગા કરી, તથા માથા સાથે અડકાડી, આ પ્રમાણે બેલ્યા:
અરિહંતભગવંતો, સિદ્ધો વગેરેને નમસ્કાર ! તથા અચળસ્થાનને પામવાની ઇચ્છાવાળા શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર ! ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીરને અહીં રહેલા હું વંદુ છું. ત્યાં રહેલા શ્રમણભગવંત મહાવીર અહીં રહેલા મને જુએ. મેં પહેલાં પણ શ્રમણુભગવંત મહાવીરની પાસે કોઈ પણ જીવને વિનાશ ન કર, તથા કઈ પણ પ્રકારે કોઈને દુઃખ ન દેવું' એવો નિયમ જિંદગી ટકે ત્યાં સુધી લીધે હતો; તેમ જ તે તથા બીજા પણ નિયમો લીધા હતા; વસ્તુનું જ્ઞાન જેવી વસ્તુ હોય તેવું જ કરવું, પણ તેથી જુદું કે ઊલટું ન કરવું” એવો નિયમ પણ છવું ત્યાં સુધી
૧. શરીર અને કષાયોને અનાહારથી કૃશ કરવારૂપી તપ.
૨. પાદપપગમન અવસ્થા સ્વીકાર્યા પહેલાં લઘુશંકા વગેરેની જરૂર રહે છે; તે માટે. પછી તે હાલવાચાલવાનું હતું જ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org