Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૮૪
શ્રીભગવતીસાર તલ કે તેવા સૂકા સામાનથી ભરેલી સગડીને કઈ ઢસડે ત્યારે જેવો અવાજ થાય, તેવો જ અવાજ તે કંઇક મુનિ ચાલતા ત્યારે પણ થતો. તે મુનિ તપથી પુષ્ટ હતા, જેકે માંસ અને લોહીથી ક્ષીણ હતા. તેમ છતાં રાખમાં ભારેલા અગ્નિની જેમ તે તપ અને તેજથી શોભતા હતા.
હવે કઈ એક દિવસે રાત્રીને પાછલે પહોરે જાગતાં જાગતાં તથા ધર્મ વિષે વિચાર કરતાં તે કુંદક મુનિના મનમાં આ પ્રમાણે સંકલ્પ થયો કે, હું અનેક પ્રકારના તપકર્મથી દૂબળા થઈ ગયે છું, બેલતાં બેલતાં પણ થાકી જાઉં છું. તથા ચાલું છું ત્યારે પણ સૂકાં લાકડાં વગેરેથી ભરેલી સગડીઓ ઢસડાતી હોય તે અવાજ થાય છે. આવી સ્થિતિમાં પણ હજુ જ્યાં સુધી મારામાં ઊઠવાની શક્તિ, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમ છે, ત્યાં સુધી હું મારા ધર્માચાર્ય બમણુભગવંત પાસે જઈને અનશન વ્રત સ્વીકારું. માટે આવતી કાલે મળસકું થયા પછી શ્રીરાજગૃહનગરમાં પધારેલા મહાવીર ભગવાન પાસે જઈ, તેમની અનુમતિ લઈ પાંચ મહાવ્રતોને આરોપી, શ્રમણ તથા શમણુઓની ક્ષમા માગી, ઉત્તમ સ્થવિરે સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે
૧. મૂળમાં “કમળ કમળ ખીલ્યા પછી, કમલ નામના હરણની આંખ ઊઘડ્યા પછી, નિર્મળ પ્રભાત થયા પછી, અને રાતા અશોક જેવા પ્રકાશવાળો; કેસુડાં, પોપટની ચાંચ અને ચણોઠીના અડધા ભાગ જેવો લાલ; કમળના સમૂહવાળા વનખંડને વિકસાવનાર; હજાર કિરણોવાળે તથા તેજથી જળહળતો સૂર્ય ઊગ્યા પછી, એટલું વધારે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org