Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતી-સાર
રાજગૃહ નગરના પ્રસંગ છે :
ગૌતમ–હે ભગવન ! તે આત્મધ્યાની સાધુ (વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી) તરવારની ધાર ઉપર કે અસ્ત્રાની ધાર ઉપર રહે?
મહાવીર –હા ગૌતમ! રહે. ગૌ–હે ભગવન્! તે ત્યાં છેદાય કે ભેદાય? ભ૦–ને ગૌતમ! કારણકે ત્યાં શસ્ત્ર સંક્રમિતું નથી.
એ પ્રમાણે અગ્નિકાયની વચ્ચેવચ પ્રવેશ કરે; પુષ્કરસંવર્ત નામના મેટા મેઘની વચ્ચોવચ પ્રવેશ કરે; ગંગા મહાનદીના ઊલટા પ્રવાહમાં પ્રતિખલન ન પામે, અને ઉદકાવર્ત યા ઉદકબિંદુ વિષે પ્રવેશ કરે અને નાશ ન પામે; ઇત્યાદિ સમજી લેવું.
– શતક ૧૮, ઉદ્દે ૧૦
શતક ૧
ગૌ–હે ભગવન! પ્રમત્ત સાધુ વૈક્રિયશક્તિ વડે એક વર્ણવાળું એક રૂપ સર્જવા સમર્થ છે! મહા ગૌતમ! સમર્થ છે.
ગૌ––હે ભગવન! તે અહીં મનુષ્યલોકમાં રહેલાં પુદ્ગલ ગ્રહણ કરીને તે રૂપ સજે કે અન્ય સ્થળે રહેલાં?
મહ–હે ગૌતમ! અહીં રહેલાં પુગલો ગ્રહણ કરીને.
એ પ્રમાણે તે એક વર્ણવાળા અનેક આકાર, અનેક વર્ણવાળો એક આકાર, અને અનેક વર્ણવાળા અનેક આકાર ધારણ કરવા સમર્થ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org