Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૪
કામ અને જાણ તે જ પ્રમાણે અવધિજ્ઞાવાળાનું પણ જાણવું
તે જ પ્રમાણે તે જ ભવમાં સિદ્ધ થવાને યોગ્ય પરમાવધિજ્ઞાની માટે પણ સમજવું.
ગૌ–હે ભગવન્! પૃથ્વીકાયિકાથી માંડીને વનસ્પતિકાયિકા સુધીના અને ત્રસજીવોમાંના પણ સંમૂર્ણિમ કોટીના જે જીવો અસંજ્ઞી એટલે કે મન વિનાના છે, તથા અજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાંધકારમાં પ્રવેશ કરેલા તથા અજ્ઞાનરૂપ આવરણ અને મેહજાલ વડે ઢંકાયેલા છે, તેઓ ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિને અભાવે અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય ?
મહ–હા ગૌતમ ! કહેવાય.
ગૌ૦–હે ભગવન ! સમર્થ એટલે કે સંજ્ઞી હવા છતાં કોઈ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને વેદે ?
ભ૦-–હા ગૌતમ ! ગૌ–હે ભગવન! તેનું શું કારણ?
મ–જેમ જેવાની શક્તિવાળા હોવા છતાં અંધકારમાં રહેલા પદાર્થોને પ્રદીપ સિવાય જોઈ શકતો નથી; તેમ જ પાછળ, ઊંચે, નીચે રહેલા પદાર્થોને ખ્યાલ સિવાય જોઈ શકતો નથી; તેમ જ્ઞાનશકિત અને ઈચ્છાશક્તિવાળો પણ અજ્ઞાન દશામાં (તે શક્તિની પ્રવૃત્તિને અભાવે) સુખદુઃખનો અનુભવ કરે છે.
૧. માતાપિતાના સંભોગ વિના, ગર્ભ જ જીવના મલમૂત્રાદિમાં પેદા થતા છો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org