Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આવેચના, પ્રાયશ્ચિત્ત અને તપ ૧૪૫ પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર છે: ૧. “આલોચના”-એટલે કે માત્ર “આલોચના કરવાથી શુદ્ધ થવાય તેવું. ૨.
પ્રતિક્રમણ” – એટલે કે, “ફરી નહીં કરું' એમ કહેવામાત્રથી શુદ્ધ થવાય તેવું. ૩. “મિશ્ર” – આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધ થવાય તેવું. ૪. “વિવેક” – ભૂલથી સદોષ આહારાદિ આવી ગયાં હોય તો માત્ર તેના વિવેક એટલે કે ત્યાગથી શુદ્ધ થવાય તેવું. પ. “બુત્સર્ગ' –- એટલે કે કાયચેષ્ટાનો રોધ કરી ધ્યાન કરવાથી શુદ્ધ થવાય તેવું. ૬. “તપ” – એટલે કે ઉપવાસ વગેરે તપથી શુદ્ધ થવાય તેવું. ૭. છેદ'– એટલે કે, દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવાથી શુદ્ધ થવાય તેવું. ૮. “મૂલ’ – એટલે કે, સર્વ વતપર્યાયનો છેદ કરી ફરી “મૂલ” મહાવ્રત લેવાથી શુદ્ધ થવાય તેવું. ૯. “અનવસ્થાપ્ય” – એટલે કે અમુક પ્રકારનું વિશિષ્ટ તપ ન કરે, ત્યાં સુધી મહાવ્રત કે વેશમાં સ્થાપી ન શકાય તેવું. અને ૧૦. “પારાંચિતક” – એટલે સાધ્વી, રાજરાણી ઇત્યાદિના શીલભંગરૂપ મહાદોષ કરનારા આચાર્યને જ વેશ અને ક્ષેત્રને ત્યાગ કરી છ માસથી તે બાર વર્ષ સુધી કરવું પડતું પ્રાયશ્ચિત્ત.
તપના બે પ્રકાર છે: બાહ્ય અને આભ્યન્તર.
૧. બેસવા ઊઠવાને પણ અશક્ત થઈ જાય ત્યાં સુધીનું.
૨. ઉપાધ્યાયને નવમા પ્રાયશ્ચિત્ત સુધી હોય છે અને સામાન્ય સાધુને આઠમા સુધી હોય છે. જ્યાં સુધી ચૌદ પૂર્વગરાના જાણકાર અને પ્રથમ પ્રકારના શારીરિક બાંધાવાળાઓ હોય છે, ત્યાં સુધી દશે પ્રાયશ્ચિત્ત હોય છે.
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org