Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૧૨
શ્રી ભગવતી-સાર ૌ–હે ભગવન! કોઈ પુરુષ બીજા પુરુષને હણતો પુરુષના વેરથી બંધાય કે પુરુષ સિવાય બીજા ને વૈરથી પણ બંધાય ?
મ––હે ગૌતમ ! તે અવશ્ય પુરુષના વૈરથી તો બંધાય જ, પરંતુ અન્ય એક જીવના વેરથી પણ બંધાય કે અન્ય અનેક જીવોના વેરથી પણ બંધાય. ઋષિને હણનારે તે ઋષિના વેરથી અને ઋષિ સિવાયના અનેકનાં વૈરેથી બંધાય.
– શતક ૯, ઉદ્દે ૩૪
પૃથ્વીકાયિકાદિ જીવવર્ગો પોતાના સજાતીય તેમ જ વિજાતીય જીવવર્ગોને શ્વાસોચ્છાસ રૂપે ગ્રહણ કરે છે અને
ગૌતમ–હે ભગવન્! પૃથિવીકાયિક જીવ પૃથ્વીકાયિકને શ્વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ત્યારે તેને કેટલી ક્રિયા લાગે ?
મ–હે ગૌતમ! જ્યાં સુધી તેને પીડા ઉત્પન્ન ન કરે, ત્યાં સુધી તેને કાયિકી આદિ ત્રણ ક્રિયા હોય; પીડા કરે ત્યારે પારિતાપનિકી સહિત ચાર હોય; અને તેને ઘાત કરે, ત્યારે પ્રાણાતિપાતિકી યુક્ત પાંચ ક્રિયા હોય. એ પ્રમાણે અન્ય જીવવર્ગોની બાબતમાં સમજવું.
ગૌ–હે ભગવન! વાયુકાયિક છવ વૃક્ષના મૂળને કંપાવતે કે પાડતો કેટલી ક્રિયાવાળે હોય?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org