Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
સાધુ - ટિપણે પૂર્વ કેટી આયુષવાળા પુરુષને જન્મથી ઓછામાં ઓછાં નવ વર્ષ ગયા પછી કેવલજ્ઞાન ઉપજે, પછી તે નવ વરસ જૂન પૂર્વ કેટી વર્ષ સુધી સ્થિર પરિણામવાળો થઈને શેલેશી સુધી વિહરેઃ શૈલેશીમાં તે વર્ધમાન પરિણામવાળો હેય.)
૨૦. પુલાક આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિએને બાંધે (કેમકે પુલાકને આયુષ્યનો બંધ થતો નથી; તેને યોગ્ય અધ્યવસાયસ્થાનકે જ તેને નથી.) બકુશ અને પ્રતિસેવનાકુશીલ આયુષ્ય સિવાયની સાત બાંધે કે આયુષ્યસહિત આઠેય બાંધે. કષાયકુશીલ ઉપર જણાવેલી સાત કે આઠ બાંધે તેમ જ આયુષ્ય અને મેહનીય સિવાયની છે પણ બાંધે. [આયુષ્યને બંધ અપ્રમત્ત (સાતમાં) ગુણસ્થાન સુધી જ હોય છે. તેથી કષાયકુશીલ સુક્ષ્મસંપરાય (દશમ) ગુણસ્થાનકે આયુષ્ય ન બાંધે; તેમજ મેહનીયને બાદરકષાયદયના અભાવથી ન બાંધે, માટે છે. ] નિગ્રંથને તો બંધહેતુઓમાં
• ૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મોહનીય, આયુષ, નામ (ગીત), ગોત્ર, અને અંતરાય – એમ કર્મની આઠ પ્રકૃતિઓ છે. વિગત માટે જુઓ આ માળાનું “ અંતિમઉપદેશ” પુસ્તક પા. ૨૨૬.
૨. મોહનીયકમ ઓછું થતું જાય, તેમ તેમ આત્માના સહજ ગુણે ઉપરથી આવરણું ઓછું થવાથી કે નાશ પામવાથી તે પિતાના સહજસ્વરૂપે પ્રગટે છે, તે બુદ્ધિની ૧૪ પાયરીઓ
સ્વીકારેલી છે; તે દરેક ગુણસ્થાન કહેવાય છે. તે દરેકમાં આત્માની સ્થિતિ અમુક શુદ્ધિ કે અશુદ્ધિવાળી હોય છે. વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “ અંતિમઉપદેશ” પુસ્તક, પા. ૧૭૨.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org