________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૬ ઉત્તરપક્ષ– તેનું કારણ મોહ છે. અહીં તો વસ્તુસ્થિતિ વિચારવામાં આવે છે.
સુભગ– જેના ઉદયથી (ઉપકાર ન કરવા છતાં) બીજાઓને પ્રિય બને છે તે સુભગ નામકર્મ.
દુર્ભગ– જેના ઉદયથી (ઉપકાર કરવા છતાં) બીજાઓને અપ્રિય બને છે તે દુર્ભગ નામકર્મ.
સુસ્વર- જેના ઉદયથી સાંભળનારને પ્રીતિનું કારણ બને તેવા સ્વરની પ્રાપ્તિ થાય તે સુસ્વર નામકર્મ.
દુઃસ્વર- જેના ઉદયથી સાંભળનારને અપ્રીતિનું કારણ બને તેવા સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વર નામકર્મ. (૨૩)
आइज्जमणाइज्जं, जसकित्तीनाममजसकित्ती य । निम्माणनाममलं, चरमं तित्थयरनामं च ॥ २४ ॥ [आदेयमनादेयं यशःकीर्तिनाम अयशःकीर्ति च । निर्माणनाम अतुलं चरमं तीर्थकरनाम च ॥ २४ ॥]
आदेयनाम यदुदयादादेयो भवति यच्चेष्टते भाषते वा तत्सर्वं लोकः प्रमाणीकरोति, तद्विपरीतमनादेयम् । यश कीर्तिनाम यदुदयाद्यशःकीर्तिभावः, यश:कीयॊविशेष:- दानपुण्यफला कीर्तिः पराक्रमकृतं यशः । अयश:कीर्तिनाम चोक्तविपरीतम् । निर्माणनाम यदुदयात्सर्वजीवानां जातौ अङ्गोपाङ्गनिवेशो भवति, जातिलिङ्गाकृतिव्यवस्थानियम इत्यन्ये । अतुलं प्रधानम् । चरमं प्रधानत्वात्सूत्रक्रमप्रामाण्याच्चेति, तीर्थकरनाम यदुदयात्सदेवमनुष्यासुरस्य નાત: પૂજ્યો ભવતિ | ગ્ર: સમુન્વયે તિ / ર૪ /
ગાથાર્થ– આદેય, અનાદેય, યશકીર્તિ, અયશકીર્તિ, નિર્માણ, અતુલ અને ચરમ તીર્થંકર નામકર્મ છે.
ટીકાર્થ– આદેય- જેના ઉદયથી જીવ આદેય બને, એટલે કે તે જે આચરે અને બોલે તે બધુ લોક પ્રમાણ કરે.
અનાદેય- જેના ઉદયથી જીવ અનાદેય બને, એટલે કે તે જે આચરે અને બોલે (તે સત્ય હોય તો પણ) લોક તેને પ્રમાણ ન કરે.
१. प्रमाणं करोति