________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦૧ પિંડ=આહાર લે તે એકપિડિક). ક્રમે કરીને બધા રાજગૃહનગરમાં આવ્યા. સાર્થવાહે પોતાના ઘરે જ તેનો મઠ કરાવ્યો. તેણે પણ માથું મૂંડાવ્યું. ભગવા રંગથી રંગેલા વસ્ત્રોને પહેરનાર તે નગરમાં પ્રસિદ્ધ બની ગયો. પછી તો શેઠ આહાર આપતો હોવા છતાં તે શેઠનો આહાર ઈચ્છતો ન હતો. પારણાના દિવસે લોકો પોતપોતાના ઘરમાં તેના માટે તૈયારીઓ કરી રાખતા હતા. પણ આ એક ઘરે પારણું કરીને પાછો વળી જતો હતો. જેના ઘરે પારણું કર્યું હોય તે સિવાયના લોકો આણે કોના ઘરે પારણું કર્યું એ ખબર ન પડવાથી પોતાના ઘરોમાં આહાર લઇને તેની રાહ જોયા કરતા હતા. તેથી બીજાઓને ખબર પડે એ માટે ઇંદ્રનાગ પ્રત્યે ભક્તિવાળા નગર લોકોએ પરસ્પર મળીને સંકેત કર્યો કે આ મુનિવર જે કોઈનો આહાર લે તેણે લોકોને ખબર પડે એ માટે ભેરી વગાડવી, જેથી પારણાનું જ્ઞાન થતાં લોકો પોતપોતાના કામમાં લાગી જાય. આ પ્રમાણે કાળ પસાર થાય છે.
હવે એકવાર પુર, પત્તન, ગામ, ખાણ અને નગરોથી વિભૂષિત પૃથ્વી ઉપર વિહાર કરતા શ્રીવર્ધમાનસ્વામી ત્યાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. સુત્રપોરિસિ અને અર્થપોરિસિ પૂર્ણ થયા પછી ભિક્ષા માટે નીકળતા શ્રીગૌતમસ્વામીને શ્રી વીરે “અત્યારે અનેષણા છે” એમ કહીને રોક્યા. ગૌતમસ્વામીએ પૂછ્યું: હે સ્વામી ! અનેષણાનું કારણ શું છે? સ્વામીએ કહ્યું: હે ગૌતમ ! ઇંદ્રનાગનું પારણું છે. હમણાં બધા ય લોકો તે કાર્યમાં વ્યાકુલ બનેલા છે. જેથી પ્રમાદી તે લોકો આપે તો પણ અનેષણા કરે. ક્ષણમાત્ર વીતી ગયા પછી ભગવાને કહ્યું: હમણાં ભિક્ષા માટે જા, અને તે મુનિને જોઈને આ પ્રમાણે કહેજે, હે અનેકપિડિક ! તને એકપિડિક જોવાને ઇચ્છે છે. ગૌતમ મુનિ પણ “ઇચ્છે” ( હું ઇચ્છું છું) એમ કહીને નીકળ્યા. માર્ગમાં જતા શ્રીગૌતમસ્વામીએ તેને આવતો જોયો અને ભગવાને કહ્યું હતું તેમ કહ્યું. તેથી તે ગુસ્સે થઈને બોલ્યોઃ એક ઘરમાં જ લેતો હું અનેકપિડિક કેવી રીતે ? બીજાઓની જેમ હું ભિક્ષા માટે ઘરે ઘરે ફરતો નથી. ક્ષણ પછી શાંત થયેલા તેણે વિચાર્યું કે- હા, મને જેવો કહ્યો તેવો હું છું. કારણ કે મારા પારણામાં લોકો અનેક ઘરોમાં આહાર તૈયાર કરે છે. આ મુનિવરો પોતાના માટે નહીં કરેલો અને નહીં કરાવેલો આહાર લે છે. માટે હું અનેકપિંડિક છું અને આ સાચે જ એકપિડિક છે. એ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલું શ્રત યાદ આવ્યું. દેવતાએ આપેલો સાધુવેશ પહેર્યો. પ્રખ્યાત