Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 318
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૦૭ नकरोतीत्यादित्रिकंअनन्तरोक्तं गृहिणः श्रावकस्य कथंभवतिदेशविरतस्य विरताविरतस्य सावधयोगेष्वनुमतेरव्यवच्छिन्नत्वात्, नैव भवतीत्यभिप्रायः, एवं चोदकाभिप्रायमाशङ्कय गुरुराह- भण्यते तत्र प्रतिवचनं विषयावहिः प्रतिषेधोऽनुमतेरपि, यत आगतं भाण्डाद्यपि न गृह्णातीत्यादाविति ॥ ३३२ ॥ અહીં (પ્રશ્ન-ઉત્તર) કહે છેગાથાર્થ–પ્રશ્ન—દેશવિરત ગૃહસ્થને ન કરવું ન કરાવવું-ન અનુમોદવું એ ત્રિક કેવી રીતે હોય? ઉત્તર– વિષયની બહાર અનુમતિનો પણ નિષેધ છે. ટીકાર્થ– દેશવિરત શ્રાવકને અનુમોદનાનો વિચ્છેદ થતો નથી. તેથી દેશવિરત શ્રાવકને ન કરવું-ન કરાવવું એ ભાંગાથી પ્રત્યાખ્યાન થઈ શકે, પણ ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એ ભાંગાથી પ્રત્યાખ્યાન કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. એવો પ્રશ્નકારનો આશય છે. પ્રશ્નકારના આવા અભિપ્રાયની આશંકા કરીને ગુરુ ઉત્તર આપે છેવિષયથી ( ક્ષેત્રથી) બહાર દેશવિરતને પણ અનુમતિનો નિષેધ છે. વિષયથી (=ધારેલા ક્ષેત્રથી) બહારથી આવેલ ઉપકરણ વગેરે પણ ન ગ્રહણ કરે વગેરેમાં અનુમતિનો પણ ત્યાગ થઈ શકે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– કોઈ શ્રાવક મારે હિંદુસ્તાનની બહાર હિંસા ન કરવી, ન કરાવવી અને ન અનુમોદવી એવું પ્રત્યાખ્યાન કરે તો કરી શકે છે. આવું પ્રત્યાખ્યાન કર્યા પછી તેનાથી હિંદુસ્તાનની બહાર કોઈ જાતનો સંબંધ ન રાખી શકાય. હિંદુસ્તાનની બહારથી આવેલી કોઈ વસ્તુનો ઉપયોગ ન કરી શકાય. પત્રાદિ પણ ન મોકલી શકાય. પણ હિંદુસ્તાનમાં અનુમોદનાનો ત્યાગ ન કરી શકે. કારણ કે હિંદુસ્તાનની વસ્તુનો ઉપયોગ અનિવાર્ય છે. આથી હિંદુસ્તાનને આશ્રયીને હિંસા ન કરવી-ન કરાવવી એ ભાંગાથી જ પ્રત્યાખ્યાન કરી શકે. (૩૩૨) अत्रैवं व्यवस्थिते सति केई भणंति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । - तं न जओ निद्दिटुं, पन्नत्तीए विसेसेउं ॥ ३३३ ॥

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370