________________
પ્રથમ પરિચ્છેદ્ર ]
એમ ખુલ્લે છે કે, તેમાંના ધણાખરા ભાગ કયારનાએ રાજા ખારવેલના અધિકારમાં આવી પડયા હતા. એટલે એવા અનુમાન ઉપર આવવું રહે છે કે, અંદેશની તેમણે દારી બતાવેલ હદ ખરાખર નથી. અને તે અનુમાનને જો વિશેષ લંખાવીએ તે, એમ પણ કદાચ સાર કાઢી શકાય કે, આંધ્રપ્રજાનું ઉત્પત્તિસ્થાન પણ તે પ્રદેશમાં નહીં આવતું હાય. આતા ઉત્પત્તિ થયાની નજરે આપણે તપાસ કરી છે, છતાં જો તેવા પ્રદેશ (અંધ્રપ્રદેશ) ઉપર તેમણે હુકુમત ચલાવી હાવાની દષ્ટિએ વિચાર કરાતા હાય, તે। પણ તે મુદ્દો વ્યાજખી ઠેરાવી શકાય તેમ નથી. આ વિશે એક વિદ્વાને જણાવ્યું છે કે૧૯ “The mere mention of certain kings in the Puranas as Andhras and their identity with the names of the Satavahan kings as given in their epigraphic records cannot justify an inference that the Satavahanas were originally rulers of the Andhara Desha-પુરાણામાં કેટલાક રાજાઆના કેવળ ઉલ્લેખ આંધ્ર તરીકે કરાયા હેવાથી, તેમજ લેખામાં તેમને શતવાહન રાજા તરીકે ઓળખાવ્યા હેાવાથી એવું અનુમાન ન્યાયપૂર્વક ન જ કહી શકાય કે શતવાના મૂળે અંદ્રદેશ ઉપર રાજસત્તાધારી હતા.
શતવહન શ
એક વખત અમારી પેાતાની માન્યતા પણ એવી બંધાઈ હતી કે મહાભારતમાં જેને દંડકારણ્ય કહેવામાં આવ્યું છે, તે અરણ્યના પ્રદેશ જ આ આંધ્રપ્રજાની ઉત્પત્તિ સ્થાનવાળા અંધ્રપ્રદેશના અમુક ભાગ હશે અને તે માન્યતાના આધારે તેની ચતુઃસીમા નીચે પ્રમાણે કલ્પી હતી. ઉત્તરે સાતપુડા પર્વત, દક્ષિણે તુંગભદ્રા નદી, પશ્ચિમે સઘાંદ્રિવાળા લાટ-પર્વતા અને
[ ૭
પૂમાં એક સિદ્ધિ લીટી કે જેના ઉત્તર છેડા હૈદ્રાખાદના ચંદાશહેરથી આરંભી દક્ષિણે કડપ્પાશહેર સુધી લંખાવી શકાય. એટલે કે વિદ્વાનેએ કૃષ્ણા અને ગાદાવરીના મુખ વચ્ચેના દુઆમને તે પ્રદેશ બતાવ્યેા છે તેની પણ પૂર્વથી આરભીને, પશ્ચિમ ઘાટ વચ્ચેના સધળા વિસ્તારના તેમાં સમાવેશ થતા કલ્પ્યા હતા; કેમકે આ અરણ્યમય પ્રદેશમાં ખીચેાખીચ વ્રુક્ષા તથા વનરાજી આવી રહેલ હેાવાથી તેમાં સૂર્યનાં કિરણાના ભાગ્યે જ પ્રવેશ થઈ શકતા હતા. તેથી દિવસે પણ, આખા અરણ્યમાં અંધકારનું જ દર્શીન થયા કરતું હતું; એટલે તેવી ભૂમિને બંધરે કહેવામાં કાંઇ વાંધા જેવું નજ લેખાય અને પછી જેમ અનેક દૃષ્ટાંતમાં બનતું આવ્યું છે તેમ, આ અઁષ શબ્દમાં કાળક્રમે પરિવર્તન થતાં અંધ્ર શબ્દ થવા પામ્યા હૈાય. પણ વિશેષ અભ્યાસથી જ્યારે જાણુવામાં આવ્યું કે, અંદેશને અને આંધ્રપ્રજાને ઉત્પત્તિના સ્થાન પરત્વે કાંઈ સંબંધ જ નથી, તેમજ મહાભારતના સમયે અંદ્રદેશ જેવા શબ્દ જ અસ્તિત્વમાં નહાતા, ત્યારે તે કલ્પેલી માન્યતાને ત્યાગ કરવા પડયા હતા.
ડૉ. ખુલ્લુર નામના વિદ્વાનનું મંતવ્ય એક ઠેકાણે૨૦ રજુ થયું છે તેમાં નીચે પ્રમાણે શબ્દો છે— “ The place~names in Ganjam and Vigianagaram districts are to be regarded as Andhra colonies of East Deccan=ગંજામ અને વિજયાનગર જીલ્લાના કેટલાંક સ્થાનાનાં નામેા ( એવાં છે કે જેમ ) ને આંધ્રપ્રજાનાં પૂર્વે દક્ષિણમાંના વસાહત સ્થાનેા ગણી શકાય.” મતલબ કે તેમનું મંતવ્ય ઉપર ટાંકેલ, ડા. ભાંડારકર સાહેબના કથન સાથે ચેાડેક અંશે સામ્ય ધરાવતું દેખાય છે. વળી ( મા. વિલિયમ્સ કૃત ) સંસ્કૃત-ઈં ગ્રેજી શબ્દાષમાં અંદ્ર શબ્દની વ્યાખ્યા કરતાં નિર્દેશ
(૧૯) આ આપુ' વાકય આગળ ઉપર આવવાનું છે ત્યાં તેના આધાર જણાવ્યા છે.
(૨૦) આ વાક્ય ઉપર અમારા વિચારા આગળ ઉપર દર્શાવવાના છે (જીએ “આંધ્રપ્રાની ઉત્પત્તિ વિશે ”વાળે। પારિગ્રાફ ).
(૨૧) જુએ. પુ, ૪, પૃ. ૧૯ (તેમાં ગુ × વ × સા.ના બુદ્ધિપ્રકાશ ૧૯૨૮, પુ. ૭૬ પૃ. ૯૮ના ઉતાર આપ્યા છે તે અવતરણના શબ્દો આ પ્રમાણે છે. “ કલિંગપતિ શાતની ભૂમિના ભૂખ્યા, તે શાતામાં ઉત્તમ રાજા”) વળી જીએ જ, આં. હું. રી. સેા. પુ. ૨, ભાગ ૧ પૃ. ૫-૬,