________________
મહેન્દ્ર દીપણ ગૌતમીપુત્ર
૨૧૦ ]
પુરાણકારના શબ્દોનાં જે પાંચ અવતરણા ‘બુદ્ધિદર પ્રકાશ'માં જણાવેલી હકીકત (પૃ. ૨૦૨-૭) ઉપરથી ઉતાર્યા છે તેમાં આઠે વર્ષ લખ્યા છે: એટલે પાંચ વર્ષ આપણે જે આછાં આંકયા છે તે કદાચ, ન. ૧૭ ના ૨૫ વર્ષમાંથી લઈ લેવાય તેાયે નં. ૧૭ ના, કે નં. ૧૬ વાળાના રાજદ્વારી જીવન વૃત્તાંતમાં કાંઈ ફેર પડતા જણાતા નથી. તેમ નં. ૧૭ ના કાળે ૨૫ વર્ષ જે આપણને કમુલ રાખવા પડયા છે, તે પણ પુરાણામાંની હકીકતને સંતેાષવા ખાતર જ છે. ગમે તેમ ગણા, છેવટે બન્નેના (નં. ૧૬ તે ૧૭ તા) સમગ્રકાળ ૨૮ વર્ષના લેખા પરન્તુ આખરે નં. ૧૭ નું મૃત્યુ તે સ. પૂ. ૪૭ માં થયાનું જ નોંધવું પડશે. હાલ તા અતિહાસિક અન્ય પ્રસંગે ધ્યાનમાં લઈ તેન. ૧૬ નું રાજ્ય જે ઈ. સ. પૂ. ૭૦ થી ૭૨ સુધી ના ત્રણ વનું ઠરાવ્યું છે. તેને જ માન્ય રાખીશું.
પેાતે જીવ્યા ત્યાં સુધી રાજપાટ ન ભાગવતાં, વચ્ચે જ ગાદીએથી ઉડી ગયા હતા અને તે સમયે તેને પુત્ર ન હેાવાથી, તેના નાનાભાઇ અરિષ્ટકર્ણને ગાદીએ એસાડવામાં આવ્યા હતા. પરન્તુ પાછળથી તેના પુત્રનેા જન્મ થવાથી, અરિષ્ટકર્ણના મરણુ બાદ, તે પુત્રને તે ગાદી સેાપાઇ હતી. આ મહેન્દ્રના પુત્રને રાજ્યાવિષેક થયા બાદ, ૧૯ વર્ષ સુધી એટલે ઈ. સ. પૂ. ર૯ સુધી (જીએ શિલાલેખ નં. ૮) રાણી ખળશ્રીની હૈયાતી હતી જ. તેમ વળી તેણીએ શિલાલેખામાં જે પ્રકારે શબ્દો કાતરાવ્યા છે તે ઉપરથી સમજી શકાય છે કે તેણી રાજ્યકારભારના સંચાલનમાં ઘણા અગત્યને ભાગ ભજવતી હતી અને તેથી નાનાં મોટાં કાર્યોમાં તેની સલાહ પણ પૂછાતી હાવી જાઈ એ. નં. ૧૬ ના ગાદીત્યાગ સમયે નં. ૧૭ને જ ગાદી આપવી અને તે પછી નં. ૧૮ ના રાજ્યાભિષેક કરવા, તે અંતે પ્રસંગે પણ તેણીની સલાહ પ્રમાણે જ કામ લેવાયું હાવું જોઈએ એવા અનુમાન કરવામાં કાંઇ અધટત ગણાશે નહીં. જો કે વિદ્વાનાએ, તેણીના નં. ૮ ના શિલાલેખમાં ‘whose son is living'ને અર્થ એવી રીતે એસાર્યા છે કે, રાજા તે વખતે ગંભીર માંદગીને બિછાને પડેલા હૈાવાથી, રીજન્સી વહીવટ જેવી વ્યવસ્થા તેણીએ કરાવી હતી અને પોતે પ્રમુખ જેવા
[ એકાદશમ ખડ
તદ્દન
રહીને કામ ચલાવતી હતી. પરંતુ તે સ્થિતિ કલ્પનામય જ આપણે જણાવી છે (જુએ પૃ. ૨૦૮ તથા ટીપ્પા અને ટીકાઓ); કેમકે તે શબ્દો પ્રથમ તેા નં. ૧૭ તે લાગુ જ પડતા નથી, ઉપરાંત નં. ૧૯ વાળા પુખ્ત ઉંમરના થઈ ગયા હતેા, તેમજ રાજકારભાર ચલાવી શકે તેટલી ઉમરે પણ પહેાંચી ચૂકયા હતા. આવાં મુખ્ય એ કારણને લીધે તેમણે દોરેલું અનુમાન બહુ ટકી શકે તેવું લાગતું નથી. છતાં એક સ્થિતિમાં તેમ પણ બનવા યેાગ્ય લાગે છે; જે એમકે, ગાદીવારસ પુખ્ત વયને હાવા છતાં ઈરાભિષિકત તેા ન જ ગણાય. એટલે દેરવણી તરીકે, તેમજ રાજા મંદવાડમાંથી મુકત બની આરાગ્ય થાય ત્યાંસુધી, બીજા પ્રકારની કાઇ ગડબડ સડબડ થવા ન પામે તેવી તકેદારી રાખવા પૂરતીયે પણ, એક કરતાં વધારે વ્યકિતએના સંયુક્ત કારભાર જેવી વ્યવસ્થા કરાય તે ઈચ્છનીય છે. વળી નં. ૧૭ વાળાના વારસદાર નં.૧૮ની ઉમર લગભગ ૨૪-૨૫ની આલેખીને આપણે આ બધા ઉદ્ગાર કાઢી રહ્યા છીએ. પરન્તુ જૈનસાહિત્ય ગ્રંથામાં (પ્રબંધચિંતામણી ભાષાન્તરમાં શાલિવાહન પ્રબંધ જુએ ) થી એવા અનુમાન લઇ જવાય છે કે, નં. ૧૮વાળા શાલિવાહન જ્યારે ગાદીએ આવ્યા છે ત્યારે માત્ર ૧૩-૧૪ વર્ષી ઉગતી વયને જુવાનીયા જ કેમ જાણે હાય નહીં ? જે કે તે ઉમર પણ તે સમયે તેા પુખ્ત ઉમરની જ લેખાતી હતી. છતાં રાજ્ય વહીવટમાં તે ખીન અનુભવી જ કહેવાય. એટલે રાજકારભારની નિર્મળતા માટે તથા એકને માથે સધળેા ખેાજ એકદમ આવી ન પડે તે સાચવવા માટે, કાઉન્સીલના વહીવટ યેાજાય તે તે અયેાગ્ય પણ નથી. અને આ પ્રમાણે શાલિવાહન હાલરાજાની-નં. ૧૮ની–ઉંમર ગાદીએ બેસતી વખતે જો કવળ ૧૩–૧૪ વર્ષીની કે તેની આસપાસની ઠરાવાય, તે તેના જન્મ તેના પિતા નં. ૧૬ વાળાના ગાદીત્યાગ પછી, તેમજ નં. ૧૭ના રાજ્યાભિષેક પછી આઠેક મહિનાના ગાળામાં જે કલ્પી લેવા પડયા છે તેને બદલે નં. ૧૭ના રાજ્યકાળના મધ્યભાગે લગભગ લઈ જવા પડશે. મતલબ એ થઈ કહેવાશે કે નં. ૧૬ વાળાએ ભલે રાજપાટને ત્યાગ કર્યો હતા