________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
૩૧૮ ]
ખારવેલ” શિર્ષક નીચે પેાતાના વિચાર લગભગ પાા કાલમ ભરીને દર્શાવ્યા છે. તેમના મુખ્ય શબ્દો આ પ્રમાણે છેઃ
“ ડૉ. સાહેબે ‘ પ્રાચીન ભારતવર્ષ 'માંના સત્તાધીશ રાજ્યા, પૃ. ૧૦૫, ૧૭૦, ૩૨૪ માં વેદધર્માવલંબી બ્રાહ્મણ રાજા પુષ્યમિત્રને ખારબાર હાથીણુંક્ાના શિલાલેખાને સહારા લઇ જૈનધર્માં ક્ષત્રિય રાજા નંદ વંશમાંના આઠમા નંદ' બનાવી દીધા છે. જે સાહિત્યમાં સત્યથી વેગળું છે.”
આ શબ્દો કેવા યથાર્થ છે તેની હકીકત તપાસીએ. તેમણે સત્તાધીશ રાજ્યાના નિર્દેશ કરેલ છે. તેનું વર્ણન “ પ્રાચીન ભારતવર્ષ " પુસ્તક ૧ લામાં મેં આપ્યું છે. તે પુસ્તકના પૃ ૧૦૫, ૧૭૦ અને ૩ર૪ માંથી એક ઉપર આ વિષયનું આલેખન જ નથી કરાયું. ત્યાં તા અન્ય વિષયના અધિકાર વર્ણવાયે। છે. એટલે તેમણે ટાંકેલ શબ્દાની ગેાત કરવી તે નિરર્થક ગણાય. છતાં તેમના લેખની મિતિ તા. ૧૩-૨-૩૮ ની હાવાથી, તે મુદત સુધીમાં પ્રાચીન ભારતવર્ષની મારી ગુજરાતી શ્રેણીના ભાગ ૨-૩ અને અંગ્રેજી શ્રેણી ( Ancient India) પ્રથમ ભાગ બહાર પડી ગયા હતા. તેમાંના કોઈમાંથી કદાચ ઉતારા લેવાયા હાય તે ગણુત્રીએ મજકુર ત્રણે પુસ્તકેા પણ જોઈ વાળ્યાં; તે તે તે પૃષ્ઠોએ તેમાં પણ અન્ય વિષયેા જ સમજાવેલ દેખાયા. એટલે મૂળ શબ્દો મેં કયા લખેલ છે અને તેમની ટીકા કેટલી વાજબી છે તે તપાસવાના મારા હેતુ અફળ થયા. પરંતુ તેમણે ટાંકેલ શબ્દના ભાવાર્થ તે। સ્પષ્ટ છે એટલે તે ઉપર મારા ખુલાસેા રજુ કરી શકીશ,
[ પ્રાચીન
હકીકત પણ તેમાં વર્ણવી છે. એટલે પછી તેને તે શું, પણ તેના પુત્રને કે કાઇ વંશજતે હું જૈનધર્મી ઠરાવવાના પ્રયત્ન કરૂં તે તેા, સસલાને શિંગડા હાવાનું જણાવ્યા જેવું જ લેખાય. છતાંય એક વસ્તુ યાદ આવે છે, તે સંભવ છે કે તેને અનુલક્ષીને તેમણે “ નદવંશમાંના આઠમા નંદ ' એવા શબ્દો લખ્યા હાય. હકીકત એમ છે કે, હાથીણુંક્ાના લેખમાં કલિંગપતિ ચક્રવતી ખારવેલે મગધપતિ બૃહસ્પતિ મિત્રને,તથા આંધ્રપતિ શ્રીમુખ શાતકર્રાણુને હરાવ્યાના ઉલ્લેખ છે. પરંતુ આ બૃહસ્પતિમિત્ર ક્રાણુ તેની માહિતી વિદ્વાનાને મળતી ન હેાવાથી, બૃહસ્પતિનું પર્યાયવાચી નામ પુષ્પ થઈ શકે છે, માટે બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્ર એક જ વ્યકિત છે એમ ઠરાવી દીધું છે. તથા પુષ્યમિત્રને સમય ઈ. સ. પૂ. ૧૮૮ લગભગના હાવાથી ખારવેલ અને શ્રીમુખને સમય પણ તે જ પ્રમાણે માની લીધા છે. પરન્તુ બૃહસ્પતિમિત્ર, તે મગધસામ્રાજ્ય ઉપર અધિકાર ભાગવી રહેલ નદવંશી નવ નંદ રાજાએમાંના આઠમા નદ હતા; ને તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૪૧૫ થી ૪૧૨, તેને હરાવનાર ખારવેલના સમય ઈ. સ. પૂ. ૪ર૯ થી ૩૯૩ ના, અને તેના સમકાલીન આંધ્રવંશના સ્થાપક શ્રીમુખને ઇ. સ. ૪૨૭ થી ૪૧૪ને છે એમ તે પ્રત્યેકનાં જીવનવૃત્તાંત લખતી વખતે અનેક પૂરાવાઓ અને પ્રમાણા આપી મે સાબિત કર્યું છે. મતલબ કે મારા મંતવ્ય પ્રમાણે ખારવેલ, શ્રીમુખ અને આમાનંદ ઉર્ફે બૃહસ્પતિમિત્ર એ ત્રણે જણુા સમકાલીન હતા જ, પરંતુ પુષ્યમિત્ર તેા તેમના પછી લગભગ અઢીસા વર્ષે થયા છે. આ ચાર વ્યકિતઓમાંની, પ્રથમની ત્રણ જૈનધર્મી છે જ્યારે પુષ્યમિત્ર વૈદિકધર્મી છે. એટલે જ બૃહસ્પતિમિત્ર ઉર્ફે આડમા
મે જૈનધર્મી કહ્યો છે અને બૃહસ્પતિમિત્ર તથા પુષ્યમિત્રને ભિન્ન ભિન્ન માન્યા છે. છતાં તેમની પેાતાની માન્યતાની પેઠે હું પણુ પુષ્યમિત્રને બૃહસ્પતિમિત્ર જે લેખું છું તેવી કલ્પના પં. શર્માજીએ ઘડી કાઢી છે તથા પેાતાના ત્રાજવે, ખીજાની માન્યતાના ન્યાય ઉપર પ્રમાણે તાળા કાઢ્યા દેખાય છે. ક્રાણુ
વેદધર્માવલંખી બ્રાહ્મણુ રાજા પુષ્યમિત્રને મેં કદાપી જૈનધર્મી કહ્યો નથી; એટલું જ નહિ પણુ તેવા કિંચિત પ્રયાસ પણ કર્યાં નથી. ઉલટું પુષ્યમિત્રનદને શુંગવંશી ગણાતા હેાવાથી તેને એકલાને નહિં, પણ તેના આખાયે શુંગવંશને ચુસ્ત વૈદકમતાનુયાયી મેં લેખવ્યા છે. તેમને આખાયે ઈતિહાસ પુ. ૩ માં અપાયેલ છે. વળી તેણે તથા તેના પુત્ર અગ્નિમિત્રે પંડિત પતંજલિના નેતૃત્વ નીચે અશ્વમેધ યજ્ઞા ફર્યોની