________________
I. tia
*
:
એકાદશ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર–(૧૭) ગૌતમીપુત્ર શાતકરણિ ઉર્ફે અરિષ્ટકર્ણ–તેનાં વિવિધ નામને તથા ઉમરને આપેલ ખ્યાલ-શકપ્રજા સાથે તેને લડવાં પડેલ બે યુદ્ધનાં સ્થાન સાથે આપેલ સમજૂતિ તથા તે બન્નેને ઠરાવી આપેલ સમય-કારૂની લડાઈના સ્થાનને કરેલ નિર્ણય–જે શક પ્રજા (શાહી પ્રજા)ને વિવંસ તેણે કરી નાંખ્યાનું કહેવાય છે તે પ્રજા વિશે આપેલી કેટલીક માહિતી તથા તેના સમયની કરેલી ચર્ચા-પૂર્વજને લાગેલ કલંક ધોઈ નાંખી, કીતિને પુનઃ ઉજજવળ કરી બતાવી છે તેમાં સમાયેલ સુહાને બતાવેલે મર્મ, તથા તે સાથે રાજકારણનું નિમિત્ત નહતું તેનું સમજાવેલ રહસ્યગૌતમીપુત્ર વિલિવાયકુરસ, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને ગૌતમીપુત્ર શાતકરણિ વચ્ચેના ભેદની પરખ તથા તે માટેનાં આપેલ કારણે સહિત દલીલ-દક્ષિણાપથપતિ અને દક્ષિણપથેશ્વર વચ્ચે બતાવેલ તફાવત તથા કયા આંધ્રપતિને તે બન્ને બિરૂદે લાગુ પડે છે તેની આપેલ સમજૂતિ-આંધ્રપતિઓને કલિંગપતિઓ પણ કહેતા તે કયારથી અને શા માટે, તેનું આપેલ વિસ્તૃત વર્ણન-શતવહનવંશી વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાતા રાજાઓ સાથે જોડાયેલાં લગભગ છ સાત બિરૂદ અને તે દરેકને સમજાવેલો ભેદ–અમરાવતી પાટનગરનાં સ્થાન અને આયુષ્યને કરેલે વિવાદ તથા અત્યારસુધી તદ્દન અંધારામાં પડી રહેલ તેની જાહોજલાલીને આપેલ ચિતાર-ગૌતમીપુત્રે ધારણ કરેલી નીતિનાં કેટલાક રાજસૂત્રો–અંતિમ સમયે તેમણે દીધેલાં દાનની અને કરેલી સીલ વહીવટની સ્થાપના વિશેની ચર્ચા