________________
રાણી મળશ્રી તથા તેના પુત્ર-પાત્રના પરિચય
દશમ પરિચ્છેદ ]
તે શૂદ્રક વિક્રમાદિત્ય જ છે.
વળી જ્યારે હાલ વિક્રમાદિત્યની પૂર્વે શકાર વિક્રમાદિત્યને થઇ ગયેલ માન્યા છે. તેમજ હાલ વિક્રમાદિત્યના પૂર્વજ એવા ગૌતમીપુત્ર શાતકરણને જ તે શકાર વિક્રમાદિત્યના મદદગાર અને સમકાલિન તરીકે મનાવ્યેા છે, ત્યારે એ ફલિત થાય છે કે, હાલ વિક્રમાદિત્ય અને શકાર વિક્રમાદિત્ય બન્ને સમકાલીનપણું જીવંત રહ્યા નહિ જ હાય; અને કદાચ જીવંત રહેવા પામ્યા હાય, તે પણ શકારિ વિક્રમાદિત્યની ઉમર રાજા હાલવિક્રમાદિત્ય કરતાં, ઘણી ઘણી મેાટી જ હાવી જોઈએ. ]
આ પાંચે અવતરણાના તથા તે ઉપર કરેલ વિવાદ અને ટીપ્પણુને એકંદર સાર હવે નીચે પ્રમાણે નાંધી શકાશેઃ-(૧) રાજા મહેંદ્ર અને રાણી સૈાભદ્રાના પુત્રનું નામ કુંતલ શતવહન. (૨) તેણે સિંહલ–મલય તરફના મ્લેચ્છાને સંહાર કરીને તે રાજાની મલયવતી કુંવરી વેરે લગ્ન કર્યું હતું. આ મલયવતીને પાછળથી પટરાણીપદે સ્થાપિત કરવામાં આવી હતી. (૩) આ કુંતલરાજા અતિ પરાક્રમી હાઈ, તેની પૂર્વે થયેલ વિક્રમાદિત્યની સરખામણી કરી શકાય તે માટે તેના કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ જોયું છે. (૪) આ કુંતલના જન્મ દૈવીસંયાગમાં થયા હતા. (૫) આ પુત્રનું નામ વિક્રમશક્તિ પણ કહેવાય છે. (૬) આ વિક્રમશક્તિને અનેક રાણીએ કદાચ હશે પરન્તુ મુખ્યપણે ત્રણુ જાણીતી થયેલ છે. (૭) વિક્રમશકિતએ અવંતિમાં સ્મારક ઉભું કરાવ્યું છે તથા દાન દીધું છે; તથા તે અતિપતિ અને કાશ્મિરપતિ વિક્રમચરિત્રની સાથે મૈત્રી–ગ્રંથીથી જોડાયલ હતા. તેની સાથે સારાષ્ટ્રમાં ખૂબ છૂટથી ફર્યાં દેખાય છે. (૮) પં. જાયસ્વાલજીએ આ કુંતલને નામે જે આઠ વર્ષ લખ્યા છે, તે કદાચ પુરાણિક નામાવળને લીધે
આ
(૬) શૂદ્ર એટલે વશમાં જન્મેલ, આંધ્રપતિની ઉત્પતિ શુદ્ર કન્યાના પેટે થયેલી છે માટે એક-રીતે તે વશને શુદ્રક ગણી શકાય, અને તે વશમાં થયેલ વિક્રમાદિત્ય તે દ્રુક વિક્રમાદિત્ય: જ્યારે ગભીલવંશી વિક્રમા
[ ૨૦૭
બનવા પામ્યું હોય; પરન્તુ કુંતલ જેવા પરાક્રમી રાજાનેા શાસનકાળ કેવળ આઠે જ વર્ષના ન કપી શકાય. આને બદલે ૬૦ કે ૬૮ કે તેની લગોલમને રાજ્યકાળ હશે અથવા ૮ વર્ષ જ હેાય તે! તે કુંતલના પિતાનેા રાજઅમલ બનવા જોગ છે. (૯) ગૈતમીપુત્ર શાતકરણિએ--રાણી મળશ્રીના પુત્ર-શક પ્રજાને હરાવવામાં ગર્દભીલવંશી વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી હતી. એટલે બન્નેને સમકાલીન કહી શકાય. (૧૦) આ યુદ્ધ ગુજરાતની ભૂમિ ઉપર લડાયું હતું. (૧૧) રાણી મળશ્રીના પાત્રનું નામ રાજા હાલવક્રમાદિત્ય હતું. એ શકાર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે ન હાઇ શકે; અને કદાચ હાય તાપણ શકારિની ઉંમર ઘણી જ મેટી હાય અને રાજા હાલની ઘણીજ નાની હાય. (૧૨) રાજા હાલ અને ચણુ સમકાલીનપણે નથીજ જેથી તે બંનેને યુદ્ધ થવું તદ્દન અસંભવિત છે તેમ ચઋણુ તે શક પ્રજામાંના પણ નથી.
આ પ્રમાણે નં. ૧૭ તથા ૧૮ વાળા રાણી મળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર અને પૌત્ર વાસિષ્ઠપુત્ર શાતકર્રાણુના જીવનની કેટલીક ઉપયેાગી માહિતી આપણે મેળવી શકવ્યા છીએ. હવે આ નં. ૧૫ મા રાજા સ્વાતિકર્ણને તથા રાણી ખળશ્રીના પુત્ર અને પૌત્રને, શું સગપણુ સંબંધ હાઈ શકે તે વિચારીએ. એટલે આખી સાંકળ ઉભી કરાયાની સ્થિતિએ આપણે પહેાંચી શકીશું. આ માટે આપણે તે બન્નેના શિલાલેખા, જે પરિચ્છેદ પમામાં ઉતાર્યા છે તેના આધાર જ લેવાના છે, તેમાં પણ ખાસ કરીને નં. ૮ ના આધાર. તે શિલાલેખનું વિવેચન કરતાં આપણે બતાવ્યું છે કે, તેમાંની વસ્તુ ગૌતમીપુત્ર શાતકરણિના રાજ્યના ર૪મે વર્ષે કાતરવામાં આવી ત્યારે રાણી ખળશ્રીનેા માટે પુત્ર-અથવા ગૌતમીપુત્રને મેટા ભાઇ-જીવતા હતા. આ મોટા પુત્ર (પૃ. ૯૭, ટી. નં. ૧૬) ગાદી ઉપરથી ફારેગ થઇ ગયે!
દિત્ય તે શકાર વિક્રમાદિત્ય: બન્ને વિક્રમાદિત્ય સમકાલીન હાઇને તેમને એળખવા માટે આ વિશેષણ જોડવામાં કદાચ આવ્યું. સભવે છે.