________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૨ થાય છે. પ્રયાગો વિ દુનષ્ઠા, પરાગો ચ=જે કારણથી પરા એવી આ જ, મુqના મોક્ષફળવાળી છે. (વિંશતિવિંશિકા૬, ગાથા-૨૦)
એ સમકિત વિના=પૂર્વમાં વર્ણન કર્યું એ બે પ્રકારના સમકિત વગર, સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી=બુદ્ધિના અંધાપારૂપ જાણવી. સમકિત વગર જે અગીતાર્થ અને અગીતાલિશ્રિત જીવો, સ્વસ્વ અભિનિવેશથી હઠમાર્ગે પડ્યા છે, તે સર્વ જાતિઅંધ સરખા જાણવા.
કેમ ધર્માનુષ્ઠાન કરવા છતાં તેઓ જાતિઅંધ જેવા છે ? તેથી કહે છે –
તેઓ ‘ભલુ જાણીને કરે="આ ધર્મની ક્રિયાઓ મારા કલ્યાણનું કારણ છે' તેમ જાણીને કરે છે, તે પણ–તે ક્રિયાથી પણ, ‘ભલું થાય નહીં.
૩ =અને કહેવાયું છે –
સુંદરવુદ્ધી ક્યે સુંદર બુદ્ધિથી કરાયેલી= મારે સ્વકલ્યાણ કરવું છે એવી સુંદર બુદ્ધિથી નિષ ભિક્ષાચર્યાદિ ક્રિયા કરાયેલી, વહુર્ગ ઉપ જ સુંદર હો બહુ પણ સુંદર થતી નથી=મોટાભાગની ક્રિયા નિષ્ફળ જાય છે. ()
તે માટે સમકિત વગર સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે તે માટે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના પરિજ્ઞાનને કરીને=ગ્રંથકારશ્રી આગળમાં જે કહેશે તે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના પરિજ્ઞાનને કરીને, સૂવું સમકિત આદરો સુંદર એવા વિસ્તારરૂચિ સખ્યત્વનો સ્વીકાર કરો, એ પ્રકારનો હિતોપદેશ છે. ૧૦/રા ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ નવમી ઢાળ સુધી દ્રવ્ય, ગુણ અને પર્યાયનું કંઈક સ્વરૂપ બતાવ્યું. પ્રથમ ઢાળમાં સ્વયં જ ગ્રંથકારશ્રીએ કહેલ કે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. તેનાથી ફલિત થાય કે, શુક્લધ્યાનના બંને પાયા વીતરાગ થવાને અનુકૂળ મહાપથના પ્રયાણસ્વરૂપ છે અને તે પથને પ્રાપ્ત કરવાના અર્થીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરમાર્થ શું છે ? જેથી તેના ચિંતવનથી ક્ષપકશ્રેણી પ્રગટે છે તે રીતે જાણવા યત્ન કરવો જોઈએ. આ રીતે જે મહાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને વિચારે છે તેઓ ભગવાનના શાસનના રહસ્યને પામનારા એવા વિસ્તારરુચિ સમ્યક્તને પ્રાપ્ત કરે છે, જેના બળથી મોક્ષમાર્ગની સર્વ ઉચિત દિશાઓનું સમ્યગુ અવલોકન કરીને ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, આથી જ વિસ્તારરૂચિ સમ્યક્ત ગીતાર્થને જ હોય છે અને તે ભાવસમ્યક્તરૂપ છે એમ શાસ્ત્રમાં કહેલ છે. વળી, આ સર્વ સાંભળીને કોઈ મહાત્માને વિચાર આવે કે, ક્ષપકશ્રેણીને અનુકૂળ રહસ્યને દેખાડે તે રીતે દ્રવ્ય-ગુણપર્યાયના પરમાર્થને પોતે જોઈ શકે અને તેને માટે આવશ્યક શાસ્ત્રનો બોધ પોતે વિસ્તારથી કરી શકે તેવી ધારણાશક્તિ પોતાનામાં નથી તો તેણે શું કરવું જોઈએ ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
તેવા મહાત્માએ વિસ્તારરુચિ સમ્યક્ત થવાના પરિણામને ભાવથી ધારણ કરવા જોઈએ અર્થાતુ પોતાની શક્તિને ગોપવ્યા વગર વિશેષ વિશેષ પ્રકારે જિનવચનના રહસ્યની પ્રાપ્તિ થાય તે પ્રકારે સદા ઉદ્યમ કરવો જોઈએ, તો જ વિસ્તારરુચિ સમ્યક્તની પ્રાપ્તિની ભાવથી શ્રદ્ધા થઈ શકે.