________________
૧૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૫ ગાથા :
જી હો અનેક પ્રદેશ સ્વભાવતા, લાલા ભિન્ન પ્રદેશ સવભાવ;
જી હો જો નહીં એક પ્રદેશતા, લાલા ભેદ હુઈ બહુભાવ. ચતુ. ll૧૨/પો ગાથાર્થ :
ભિન્ન પ્રદેશવભાવથી=ભિન્ન પ્રદેશ સ્વભાવની કલ્પનાથી, અનેકપ્રદેશ સ્વભાવતા છે આત્મામાં અને પ્રદેશ સ્વભાવતા છે.
જો એકપ્રદેશતા નથી આત્માની એકપ્રદેશતા નથી, તો ભેદ થવાને કારણે એક આત્માના જ અનેક ભેદો થવાને કારણે, બહુ ભાવ થાય=એક આત્માને આશ્રયીને “ઘણા આત્મા છે” એ પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય. I/૧૨/પI બો :
અનેક પ્રદેશ સ્વભાવ તે કહિઈ, જે ભિન્ન પ્રદેશયોગઈ તથા ભિન્નપ્રદેશકલ્પનાઈ અનેક પ્રદેશવ્યવહારર્યાશ્યપણું.
જો એક પ્રદેશ સ્વભાવ ન હોઈ ત, અસંખ્યાત પ્રદેશાદિગઈં બહુ વચન પ્રવૃતિ-“એક ધર્માસ્તિકાય” એ વ્યવહાર ન હોઈ. “ઘણા ધર્માસ્તિકાથ” ઇત્યાદિક થયું ઈઈ. ll૧૨/પા ટબાર્થ :
અને પ્રદેશસ્વભાવ તે કહેવાય છે જે ભિન્ન પ્રદેશના યોગથી તે પ્રકારના ભિન્ન પ્રદેશની કલ્પનાથી= પરમાણુની અવગાહનાને આશ્રયીને કરાયેલી કલ્પનાના બળથી ભિન્નપ્રદેશની કલ્પનાથી, અનેક પ્રદેશવ્યવહારોગ્યપણું થાય=એક આત્મામાં અનેક પ્રદેશનો વ્યવહાર થાય. - આ રીતે એપ્રદેશસ્વભાવ અને અનેકપ્રદેશસ્વભાવ બતાવ્યા પછી આત્માનો એકપ્રદેશસ્વભાવ સ્વીકારવાની યુક્તિ બતાવે છે –
જો એકપ્રદેશસ્વભાવ ન હોય-આત્માનો એકપ્રદેશ સ્વભાવ ન હોય, તો અસંખ્યાત પ્રદેશાદિના યોગથી બહુવચનની પ્રવૃત્તિ થવાને કારણે એક આત્મામાં ઘણા આત્મારૂપ બહુવચનની પ્રવૃત્તિ થવાને કારણે, “એક ધમસ્તિકાય' એ વ્યવહાર ન થાય=એક ધમસ્તિકાય છે તેમ “એક આત્મા છે' એવો વ્યવહાર ન થાય, પરંતુ ઘણા ધર્માસ્તિકાય' ઇત્યાદિ થવું જોઈએ=ધમસ્તિકાયને આશ્રયીને અસંખ્યાત પ્રદેશની દષ્ટિથી ઘણા ધમસ્તિકાય એ પ્રકારના વ્યવહારની જેમ ઘણા આત્મા' એ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ. ૧૨/૫