________________
૧૫૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૩ | ગાથા-૧૩-૧૪ પરમાણુઓ નથી પરંતુ કરણુક, ચણકાદિ સ્કંધરૂપે વર્તે છે, યાવતુ અનંત અણુના સ્કંધો વર્તે છે, તે સ્કંધોમાં વર્તતા પરમાણુઓને આશ્રયીને ભેદકલ્પના કર્યા વગર શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી જોવામાં આવે તો તે દરેક સ્કંધો અખંડ એક શુદ્ધ દ્રવ્ય હોવાથી એકપ્રદેશ સ્વભાવવાળા કહેવાય.
તે રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ તેના પ્રદેશના ભેદની કલ્પના વગર શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વિચારવામાં આવે તો તે સર્વ દ્રવ્યો એકપ્રદેશ સ્વભાવવાળાં છે. ll૧૩/૧૩ અવતરણિકા:
હવે અનેક પ્રદેશ સ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે – ગાથા :
ભેદકલ્પનાયુતનચંઈ રે, અનેક પ્રદેશ સ્વભાવ;
અણુ વિન પુદ્ગલ અણુતણો રે, ઉપચારઈ તેહ ભાવો રે. ચતુo I૧૩/૧૪ ગાથાર્થ -
ભેદકલ્પનાયુક્ત નયથી=અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી, અણુ વિન અણુ વગર, સર્વ દ્રવ્યને અનેકપ્રદેશ સ્વભાવ છે અને પુદગલના અણુતણો=અણુનો, ઉપચારથી તેહ ભાવો અનેક પ્રદેશ સ્વભાવ છે. ll૧૩/૧૪ll ટબો :
ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનાઈ, અણ કઇ પરમાણ વિના સર્વ દ્રવ્યન અર્નક પ્રદેશ સ્વભાવ કહિઈં. અનઈં પુદ્ગલ પરમાણુનઈં અનેક પ્રદેશ થાવાની થોગ્યતા છઠું, તે માટઈં ઉપચાર અનેક પ્રદેશસ્વભાવ કહિઈં. કાલાણમાંહિ તે ઉપચાર કારણ નથી, તે માટઇં, તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં. ll૧૩/૧૪ ટબાર્થ -
ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્ધવ્યાર્થિકનયથી, અણુ કહેતાં પરમાણુ, વિના સર્વ દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ કહેવાય છે અને પુદ્ગલના પરમાણુને અનેક પ્રદેશ થવાની યોગ્યતા છે, તે માટે ઉપચારથી અનેક પ્રદેશ સ્વભાવ કહેવાય. કાલાણુમાં તે ઉપચારનું કારણ નથી તે માટે તેને=કાલાણુને, સર્વથા એ સ્વભાવ નહીં અનેક પ્રદેશ સ્વભાવ નથી. II૧૩/૧૪ ભાવાર્થ
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અખંડ હોવાથી અખંડ દ્રવ્યરૂપે જ દ્રવ્યાર્થિકનયથી દેખાય છે છતાં પરમાણુ તુલ્ય અવગાહનવાળા અંશને ગ્રહણ કરીને તે દ્રવ્યમાં ભેદની કલ્પના કરવામાં આવે અને તે કલ્પનાની અપેક્ષાથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિનો ઉપયોગ મૂકવામાં આવે ત્યારે તે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ અશુદ્ધદ્રવ્યાર્થિકનયની