________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) દુહા | ગાથા-૨-૩
૨૦૩
ટબાર્થ :
આ દ્રવ્યાનુયોગમાં જે રંગ ધારણ કરે છે દ્રવ્યાનુયોગના પદાર્થોને તે રીતે ભાવન કરીને વીતરાગભાવને અનુકૂળ મહાબળ સંચય કરે છે, તેહ જ પંડિત કહેવાય.” એહવું અભિયુક્ત સાક્ષીથી= પૂર્વાચાર્યોની સાક્ષીથી, સમર્થન કરે છે.
પોડવિવ વેદ – અને ષોડશકવચન આ છે – વા: પશ્યતિ નિ=બાળજીવો લિગને જુએ છે સ્થૂળ ત્યાગની ક્રિયાને જુએ છે. મધ્યમવૃદ્ધિર્વિવારતિ વૃત્ત= મધ્યમબુદ્ધિ વૃત્તનો વિચાર કરે છે શાસ્ત્રના વચનાનુસાર સાધુની આચરણા યથાર્થ કરવાનો વિચાર કરે છે. ગામતરૂં તુ વધ: પરીક્ષિતે સર્વત્નન=વળી, બુધ પુરુષ સર્વ યત્નથી આગમતત્વની પરીક્ષા કરે છે. II૧il (ષોડશક-૧, શ્લોક-૨) દુહા-રા ભાવાર્થ:
સંસારમાં ધર્મને અભિમુખ થયેલા જીવો અને ધર્મમાં યત્ન કરવાની વૃત્તિથી ધર્મને જાણવાના અર્થી જીવો ત્રણ પ્રકારના હોય છે : (૧) બાલજીવ, (૨) મધ્યમજીવ અને (૩) બુધજીવ. બાળજીવો મોક્ષને અભિમુખ તત્ત્વજિજ્ઞાસાથી યત્ન કરે છે છતાં પોતાની બાળબુદ્ધિ અનુસાર બાહ્ય વેશ અને સંયમના ત્યાગના આચારો સેવીને ધર્મ કરવાની બુદ્ધિવાળા હોય છે.
વળી, મધ્યમ જીવોને કંઈક સૂક્ષ્મપ્રજ્ઞા છે. તેથી શાસ્ત્રમાં બતાવેલી ઉત્સર્ગમાર્ગની ક્રિયાઓમાં તેઓ રત રહે છે=શાસ્ત્રમાં જે રીતે ક્રિયા બતાવી છે તે ક્રિયા તે રીતે કરવાથી જ હિત થાય છે તે બુદ્ધિને ધારણ કરીને ધર્મ કરવામાં રત રહે છે.
વળી, ઉત્તમ પુરુષો જગતની પદાર્થવ્યવસ્થા કઈ રીતે છે ? તેનું યથાર્થ જ્ઞાન કરીને કયું આગમતત્ત્વ જગતની વ્યવસ્થા કષછેદતાપશુદ્ધ કહે છે ? તેનો નિર્ણય કરીને કષછેદતા પશુદ્ધ એવા ધર્મથી, સંયમથી પોતાનું હિત થાય છે તેવી બુદ્ધિ ધારણ કરે છે. આવા મહાત્માઓ શાસ્ત્રનો અભ્યાસ કરીને અસંગપરિણામના એક કારણભૂત દ્રવ્યાનુયોગને સ્પષ્ટ કરનારા એવા જ્ઞાનયોગમાં રત રહે છે. તેથી જ્ઞાનયોગને ઉપષ્ટભક એવી સંયમની ક્રિયાઓ તેઓ સ્વશક્તિ અનુસાર અવશ્ય કરે છે, તોપણ પ્રધાનરૂપે તો જિનશાસનના સારભૂત દ્રવ્યાનુયોગમાં જ તેઓનું ચિત્ત રહે છે; કેમ કે આગમતત્ત્વનો સાર દ્રવ્યાનુયોગ છે. દુહા-રા અવતરણિકા -
પૂર્વની ગાથામાં કહ્યું કે, ઉત્તમ પુરુષો જ્ઞાનયોગનું અવલંબન લેનારા છે અને તે જ્ઞાનયોગસ્વરૂપ જ દ્રવ્યગુણપર્યાયનો રાસ છે. હવે જ્ઞાનયોગના મર્મને જાણનારા ઉત્તમ પુરુષોની ક્રિયા અને જ્ઞાનવગરના જીવોની ક્રિયા વચ્ચેનો ભેદ બતાવવા અર્થે જ્ઞાનરહિત ક્રિયા કરનારા અને ક્રિયારહિત જ્ઞાનવાળા જીવોનો ભેદ બતાવે છે – ગાથા -...
નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિચારહિત શુભ નાણ; યોગષ્ટિસમુચ્ચય કહિઉં, અંતર ખજુઆ-ભાણ. liદુહા-કા