________________
૨૪૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૩-૪ સ્પષ્ટ અવધારણ કરીને અને પુનઃ પુનઃ ભાવન કરીને તે ભાવોને આત્મામાં સ્થિર કરશે તેઓની દુર્મતિરૂપ વેલડી તે રીતે છેદાશે કે જેથી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવપ્રપંચમાં તે દુમતિરૂપ વેલડી ક્યારેય પ્રરોહને પામી શકે નહીં.
વળી, પ્રસ્તુત ગ્રંથની વાણી એ મોક્ષસુખ માટે કારણભૂત એવું જે કલ્પવૃક્ષનું ફળ છે તે ફળના રસના આસ્વાદની યાદગીરી આપે તેવી રમ્ય છે. આશય એ છે કે મોક્ષમાં મોહના ઉપદ્રવ વગરની, શરીરના ઉપદ્રવ વગરની અને બાહ્ય નિમિત્તના ઉપદ્રવ વગરની ચેતના છે તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરની પૂર્ણ સુખમય અવસ્થા છે, તે અવસ્થાને અનુકૂળ એવો મોહનો કંઈક અભાવ સંસારીઅવસ્થામાં પણ યોગીઓ જિનવાણીના ભાવનથી પ્રાપ્ત કરે છે. તેથી પ્રસ્તુત ગ્રંથરૂપ જિનવાણીનું જે મહાત્મા યથાર્થ ભાવન કરશે તે મહાત્માના આત્મામાં કષાયોનો કોલાહલ કંઈક અંશે શાંત થવાથી નિરાકુળ એવી ચેતનાનું કંઈક આસ્વાદન થશે, જેનાથી તે મહાત્માને મોક્ષસુખની યાદગીરી રહેશે અર્થાત્ આ વાણીથી મારા ચિત્તમાં જે શાંતરસ ઉત્પન્ન થયો છે અને જે સુખનું વદન થાય છે તેની પરાકાષ્ઠારૂપ જ મોક્ષસુખનું સ્વરૂપ છે એ પ્રકારે તે મહાત્માને સ્વઅનુભવથી જણાશે. II૧૬/૩ અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથના માહાભ્યને જ વિશેષરૂપે સ્પષ્ટ કરતાં કહે છે –
ગાથા :
એહનઈ સુપસાયઈં ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિધાધર-પવિપાણિ; એ અમિયર્દષ્ટિથી જેહની મતિ સિંચાણી,
તેમાંહિ ઉલ્લાસઈ સુરુચિ વેલી કરમાણી. ૧/૪ ગાથાર્થ : -
એહના સુપ્રસાદથી=ભગવાનની વાણીના સુપ્રસાદથી, નરચક્રવર્તી આદિ, કિન્નર-વ્યંતરાદિ, વિધાધરાદિક અને પવિપાણિ=ઈન્દ્ર પ્રમુખ, ઊભા રહીને હાથ જોડીને, સેવે છે=ભગવાનની વાણીની સેવા કરે છે. એ અમીયદષ્ટિથી=એ અમૃતદષ્ટિથી, જેહની=જે પુરુષની, મતિ સિંચાણી, તે માંહિ તેના હૃદયકમળમાં, કરમાયેલી સુરુચિવેલી ઉલ્લાસ પામે છે. ll૧૬/૪ll ટબો -
એહને સુપસાયઈએહના-વાણીના પ્રસાદથી ઊભા પાણિ જડી-હાથ જોડી સેવા કરે છે, સેવામાં ભક્તિવંત-નર તે-ચક્રવર્યાદિક, કિન્નર-તે-બંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિ-ઈન્દ્રપ્રમુખ, કેઈ દેવતાની કોઠાન કોડી. એ અમૃતદષ્ટિથી જે-ભવ્ય પ્રાણી