________________
૨૭૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / કાવ્યમ / ગાથા-૧ ઉચિતપદાર્થોના ઉલ્લાપતમાં, રૂચ શ્રવ્યોમાં આ શ્રવ્યશોભા પદાર્થોના શ્રવણથી જે પદાર્થના નિર્ણયરૂપ શ્રવ્યની શોભા, ગુવાદિતદેતુઃ=બુધ જનના હિતનો હેતુ છે અર્થાત તેનો મર્મસ્પર્શી બોધ બુધ જનના હિતનો હેતુ છે. ભાવનાપુHવા=ભાવતારૂપી પુષ્પની વાટી છે–તે શ્રવ્ય પદાર્થોનો બોધ કર્યા પછી તેનાથી આત્માને ભાવિત કરવામાં આવે ત્યારે આત્મામાં ભાવનારૂપી પુષ્પોની વાડી ઉત્પન્ન થાય છે. ડૂત =આનાથી જન્નતે વાડીમાંથી જ પ્રાપ્ત થયેલા, ધ્યાનપુર્ણા =ઉદાર એવા ધ્યાનરૂપી પુષ્પો વડે, અનુવિનંઅનુદિન પ્રતિદિન, રૈનાન્ડેવતાયા: થરપૂના મવતું=જેનવાગેવતાના જિનવાણીરૂપી દેવતાના, ચરણની પૂજા થાઓ. ૧૫
ઇતિ શ્રી ઉપાધ્યાય શ્રી જસવિજયગણિ કૃત દ્રવ્યગુણપર્યાયનો રાસ સંપૂર્ણ. સંવત ૧૭૨૯ વર્ષે ભાદ્રવા વદ ૨ દિને લિખિ. સાહા-કપૂર સુત, સાહા સુરચંદ લિખાવિત. ભાવાર્થ
ગ્રંથકારશ્રીએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો અત્યાર સુધી વિસ્તાર ર્યો તે ઉચિત પદાર્થોના ઉલ્લાપનરૂપ છે= ઉચિત પદાર્થોના કથનરૂપ છે, અને તેના કારણે યોગ્ય જીવોમાં તે પદાર્થોથી શ્રવ્ય ભાવો પ્રગટ થાય છે, જે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયના યથાર્થ બોધસ્વરૂપ છે અર્થાત્ શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વઅનુભવ અનુસાર દ્રવ્ય-ગુણ-પર્યાયના યથાર્થ નિર્ણયસ્વરૂપ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાયનો બોધ શ્રવણ કરનાર જીવમાં ઉત્તમ પરિણામ સ્વરૂપ હોવાથી શોભા સમાન છે. આ શ્રવ્ય પદાર્થની શોભા બુધપુરુષના હિતનો હેતુ થાય છે અર્થાત્ તે બોધ કરનાર જીવ સંસારનાં દ્રવ્યોની સુબદ્ધ વ્યવસ્થા કઈ રીતે પ્રવર્તી રહી છે ? તેના પરમાર્થને જાણીને હંમેશાં તે બોધ અનુસાર તે બુધપુરુષ હિતમાં પ્રવર્તે છે અને અહિતથી આત્માનું રક્ષણ કરે છે.
વળી, પ્રસ્તુત ગ્રંથ દ્વારા આત્મામાં શ્રવ્યની જે શોભા પ્રગટેલી તેનાથી તે બુધ પુરુષ આત્માને અત્યંત ભાવિત કરે ત્યારે તેના આત્મામાં અનેક ગુણો પ્રગટ કરે તેવા પુષ્પોની વાડી પ્રગટ થાય છે, તેથી તેનો આત્મા સુંદર બગીચા જેવી ગુણસમૃદ્ધિથી ખીલેલો બને છે. તે બગીચામાં ધ્યાનરૂપી શ્રેષ્ઠ પુષ્પો પ્રગટે છે અર્થાત્ તે દ્રવ્ય-ગુણ-પર્યાયના પદાર્થોથી અત્યંત ભાવિત થયા પછી તેનું આત્મદ્રવ્ય શુદ્ધ દ્રવ્ય, શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવા માટે દઢ યત્ન કરાવે તેવા ધ્યાનરૂપી પુષ્પોવાળું બને છે. તે ધ્યાનરૂપી પુષ્પોથી ગ્રંથકારશ્રી અભિલાષા કરે છે કે ભગવાનની વાણીરૂપી દેવતાની ચરણપૂજા પ્રતિદિન થાઓ; જેથી ભગવાનની વાણી સાથે ધ્યાન દ્વારા તન્મયભાવને પામીને પોતાનો આત્મા ભગવાનના જેવો શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળો બને.
આશય એ છે કે પૂજા તત્ ગુણને અવલંબીને તત્ તુલ્ય થવાને અનુકૂળ પ્રવૃત્તિરૂપ છે. ભગવાનની