________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૫
૨૪૯ ગમિન્ હૃદયસ્થ સતિ આ હદયમાં હોતે છતે=ભગવાનનું વચન હદયમાં હોતે છતે, તત્ત્વત:=તત્વથી, મુનીન્દ્ર =મુનીન્દ્ર=ભગવાન, હૃદયસ્થ: કૃતિ હદયસ્થ છે એ પ્રમાણે, હવસ્થિત તમિ—અને તે હદયમાં હોતે છતે=ભગવાન હદયમાં હોતે છતે, નિયમત્સિર્વાર્થસિદ્ધ =નિયમથી સર્વ અર્થોની સિદ્ધિ છે. ર/૧૪
ભગવાન હૃદયમાં હોતે છતે બધા અર્થોની સિદ્ધિ કેમ છે ? તેથી કહે છે –
(જે કારણથી) ચિન્તામળિ: પરી=પ્રકૃષ્ટ ચિંતામણિ, સૌ=આ=ભગવાન છે. તેન=તેની સાથે=ભગવાનની સાથે, રૂલ્ય સમરસાત્તિ: ભવતિ આ સમરસ આપત્તિ થાય છે=ભગવાનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાઓથી ભગવાનની સાથે સમરસની આપત્તિ થાય છે. સૈવ=તે જ=સમરસની આપત્તિ જ, ફુ=અહીં=શાસ્ત્રમાં, યોનિમાતા યોગીની માતા, નિર્વાણપત્તા=નિર્વાણરૂપી ફળને દેનારી, વિષે:] પ્રોf=બુધો વડે) કહેવાઈ છે. ર/૧પા (ષોડશક-૨, શ્લોક-૧૪-૧૫).
સમારિનક્ષ અને સમાપતિનું લક્ષણ આ છે –
લીવૃત્તઃ મનાતસ્ય પરિવ=ક્ષીણવૃત્તિવાળા અભિજાત એવા મણિની જેમ=જેનો મળશય થયેલો એવા જાત્યવાન મણિની જેમ, સંશયઅસંશય, તાસ્થાશ્મનસ્વાગૅતાશ્યપણું હોવાથી અને તદ્અંજનપણું હોવાથી, સાત્તિ. પ્રીતિ=સમાપત્તિ કહેવાઈ છે. III (દ્વાáિશદ્ઠાવિંશિકા-૨૦, શ્લોક-૧૦)
વચનાનુષ્ઠાને સમાપતિપણાથી પ્રમાણ ચઢી=પ્રમાણ પ્રાપ્ત થાય છે. ૧૬/ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું જે વર્ણન કર્યું તે દ્રવ્ય-ગુણ-પર્યાયના વર્ણનમાં જગતવર્તી છએ દ્રવ્યોમાં વર્તતા ગુણોનું અને પર્યાયોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે, કેમ કે તે છએ દ્રવ્યોમાં વર્તતા ગુણોના અને પર્યાયોના ઘણા ભાવો છે તે પરિપૂર્ણ કેવળી જ જાણી શકે છે, પરંતુ સામાન્ય છદ્મસ્થ જીવો તે છએ દ્રવ્યોના ભાવો સંપૂર્ણ જાણી શકતા નથી, તેથી ગ્રંથકારશ્રીએ સંક્ષેપથી પ્રસ્તુત ગ્રંથમાં તે ભાવો કહ્યા છે.
ગ્રંથકારશ્રીએ કઈ રીતે તે ભાવો પ્રસ્તુત ગ્રંથમાં કહ્યા છે ? તે બતાવે છે –
શ્રી વીર ભગવાનની પરંપરામાં શ્રીસુધર્માસ્વામી આદિ જે ગુરુભગવંતો થયેલા છે તેઓના મુખથી તે વચનો ગ્રંથકારશ્રીએ સાંભળ્યાં છે અર્થાત્ તેઓના મુખથી જે વચનો પૂર્વાચાર્યોએ સાંભળ્યાં છે તે પ્રસ્તુત ગ્રંથમાં નિબદ્ધ કર્યા છે અને ગુરૂમુખેથી તેનું અધ્યયન કરીને તેના અર્થનો બોધ પ્રાપ્ત કર્યો છે. વળી, ગુરુમુખથી ગ્રંથકારશ્રીને જેવી વાણી પ્રાપ્ત થઈ છે તેવી વાણી વચનવર્ગણારૂપે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કહી છે. તેથી પ્રસ્તુત ગ્રંથના વચનમાં પોતાનું કહેલું કાંઈ જ નથી પરંતુ ગુરુમુખની પરંપરાથી પ્રાપ્ત થયેલા સુવિશુદ્ધ પદાર્થોનું જ કથન છે. આ સર્વ કથન છ દ્રવ્યવિષયક હોવાથી દ્રવ્યાનુયોગનું કથન છે.
વળી, જે મહાત્માઓ દ્રવ્યાનુયોગનો વિચાર કરે છે તેઓને આત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો યથાર્થ બોધ થાય છે તેના કારણે તેવા શુદ્ધ આત્માના પ્રગટીકરણ અર્થે ક્રિયાયોગમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. વળી, તે દ્રવ્યાનુયોગ અને ક્રિયામાર્ગના આદિપ્રવર્તક તીર્થકરો છે તેથી તેઓના વચનાનુસાર ક્રિયા કરવાથી ભગવાનના વચનની પ્રાપ્તિ થાય છે. જેઓ ક્રિયાયોગને સેવીને પરમાત્મા સાથે સમાપત્તિ પ્રાપ્તિ કરે છે