________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૫
૨૬૧
ગાથા :
જસ ઉધમ ઉત્તમ મારગનો, ભલઈ ભાવથી લહઈ; જસ મહિમા મહીમાંહે વિદિતો, તસ ગુણ કેમ ન ગહિઈ રે.
હમચડી. II૧૭/પા. ગાથાર્થ :
ઉત્તમ માર્ગનો જે ઉધમ તે ભલા ભાવથી પામીએ શુદ્ધ અધ્યવસાયથી પામીએ. જેનો મહિમા, મહીમાંહે વિદિત છે=જે આચાર્યનો મહિમા પૃથ્વીમાં વિદિત છે અર્થાત્ જે મહાત્માએ ગ્રંથકારશ્રીને આવો શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત કરાવ્યો એ પ્રકારનો મહિમા જગતમાં વિદિત છે, તેમના ગુણ કેમ ન ગાઈએ ? અર્થાત્ અવશ્ય ગાવા જોઈએ. I૧૭/પ. ટબો : -
જસ ઉદ્યમ-તે ઉત્તમ માર્ગનો જે ઉદ્યમ, તે કિમ પામિયે? ભલે ભાવ-તે શુદ્ધાષ્યવસાય રૂપ, તે લહિયે કહેતાં પામિયે.
જસ મહિમા-જેહનો મહિમા, તે મહીમાંહે-પૃથ્વીમાંહે વિદિ છે-પ્રસિદ્ધ છે. તસગુણતે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહિયે? એતલે-અવશ્ય કહવાઈ જ. ઈતિ પરમાર્થ. ૧૭/પા. ટબાર્ચ -
જેનો ઉદ્યમeતે ઉત્તમ માર્ગનો જે ઉધમ, તે કઈ રીતે પામીએ ? ભલા ભાવશુદ્ધ અધ્યવસાયરૂપ શ્રેષ્ઠ ભાવ, તે લહીએ=ઉત્તમ માર્ગનો ઉધમ પામીએ. જેનો મહિમા, તે=ઉત્તમ માર્ગને પ્રાપ્ત કરાવે તેવો તે, મહિમા મહીમાંe=પૃથ્વીમાં, વિદિત છે–પ્રસિદ્ધ છે. તેમના ગુણ તે તેવા આચાર્યરૂપ જે સુગુરુ તેમના ગુણ, કેમ ન કહીએ ? એટલે અવશ્ય કહેવા જ જોઈએ, એ પરમાર્થ છે. ૧૭/પા. ભાવાર્થ
ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિરૂપ ઉત્તમ માર્ગ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? એ પ્રકારની જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી કહે છે –
શુદ્ધ અધ્યવસાયરૂપ ભલો ભાવ, તેનાથી તે ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય. જગતમાં વિદ્વાન તરીકે ખ્યાતિ પામવાનો અધ્યવસાય કે શિષ્યગણ અને પર્ષદા પ્રાપ્ત કરવાનો અધ્યવસાય અશુદ્ધ અધ્યવસાય છે; પરંતુ તેનાથી વિપરીત એવા ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને વાસિત કરવાનો અને ભગવાનના વચનનો ક્યાંય વિપરીત બોધ ન થાય એ પ્રકારની અત્યંત સાવધાનીપૂર્વક શાસ્ત્ર ભણવાનો જે શુદ્ધ અધ્યવસાય, તેરૂપ શુદ્ધ અધ્યવસાયથી, ઉત્તમ એવા માર્ગનો ઉદ્યમ પ્રાપ્ત થાય છે=મોહના