________________
૨૬૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭| ગાથા-૧૦-૧૧ એક જિહવાએ કરીને કેમ ગાઈ શકાય ? અર્થાત ગાઈ શકતો નથી, અને મારું મન તો ગાવાને ગહગહી રહ્યું છે અર્થાત્ મારું મન તો તેમના ગુણ ગાવા માટે આતુર થયું છે. II૧/૧૦|| ભાવાર્થ -
કાશીમાં ભણતી વખતે ગ્રંથકારશ્રીને તત્ત્વોના વિશેષ સ્થાનભૂત “ચિંતામણિ-શિરોમણિ' નામનો ન્યાયશાસ્ત્રનો ગ્રંથ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થયો. તેથી તે ગ્રંથના બળથી ગ્રંથકારશ્રીને પદાર્થને જોવાની માર્ગાનુસારી સૂક્ષ્મ પ્રજ્ઞા અતિશય પ્રાપ્ત થયેલ, જેના બળથી શુદ્ધ યુક્તિપૂર્વક સ્યાદ્વાદના પરમાર્થને જાણવા માટે ગ્રંથકારશ્રી સમર્થ બન્યા. તે સર્વ ઉપકારનું કારણ ‘ચિંતામણિ' ગ્રંથની પ્રાપ્તિ છે. આ ગ્રંથની પ્રાપ્તિમાં જે ગુરુનો પ્રસાદ કારણ છે તેનું સ્મરણ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે જે ગુરુના પ્રયત્નથી સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિનું કારણ તે ગ્રંથ મળ્યો, તેનો ઉપકાર શબ્દોથી કહી શકાય નહીં, ફક્ત ગુણોને ગાવાની ઇચ્છાથી જ ગ્રંથકારશ્રીને સંતોષ મેળવવો પડે તેમ છે. I૧૭/૧ના ગાથા :
તે ગુરુની ભગતિ શુભ શકતિ, વાણી એહ પ્રકાશી; કવિ નવિનય ભણઈ-“એ ભણિયો, દિન દિન બહુ અભ્યાસી રે.”
હમચડી. ૧૭/૧૧ાા ગાથાર્થ :
તે ગુરુની ભક્તિ, શુભ શક્તિ=આત્માની શક્તિ, તેનાથી એ વાણી પ્રકાશી=પ્રસ્તુત ગ્રંથની ચનારૂપ વાણી પ્રકાશી. કવિ જસવિજય ભણે છે કહે છે, દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને એ ભણિયો દ્રવ્યગુણપર્યાયનો રાસ તમે ભણજો=આત્માના અર્થી એવા પ્રાણી ! તમે ભણજો. II૧૭/૧૧II. ટબો:
તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે શુભ ભક્તિ, તે આત્માની અનુભવ દશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુયોગરૂપ પ્રકાશી-પરૂપી, વચન દ્વારે કરીને. કવિ ભાષવિજw ભણઈ ક કહે છે, “એ ભણજ્ય, હે આત્માથિયો . પ્રાણિયો. એ ભણક્યો. દિન દિન-દિવર્સ દિવર્સ બહુ અભ્યાસ કરીને, ભણજ્ય-અતિ અભ્યાર્સ.” I/૧૭/૧૧// ટબાર્થ :
તે ગુરુની ભક્તિ=ગુરુની પ્રસન્નતારૂપ ભક્તિથી, શુભશક્તિ ગ્રંથકારશ્રીને પ્રાપ્ત થઈ. તે આત્માની અનુભવદશા છે અર્થાત્ સ્યાદ્વાદના મર્મને જાણવાને કારણે સ્વઅનુભવથી જે સ્યાદ્વાદના પદાર્થોનો