________________
૨૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૭-૮ કોઈને દેખાડતા નથી; કેમ કે હઠવાદ હોવાને કારણે પોતાની તુચ્છ મતિમાં પોતાને ઘણો બોધ છે તેવી મતિ છે, તેથી જ્ઞાનરૂપી સમુદ્રને પાર પામેલા એવા ગીતાર્થ પુરુષોની અવગણના કરીને તેવા જ્ઞાનવાન ગુરુના ક્યારેક પ્રમાદથી સ્કૂલના થઈ હોય એવા લવ પણ અવગુણને લોકો આગળ કહે છે. વસ્તુતઃ તેઓ વિચારતા નથી કે ભગવાનના વચનના પરમાર્થને પામેલા મહાત્માઓ હંમેશાં સંવેગવૃદ્ધિનું કારણ બને તેવી જ બાહ્ય આચરણા પોતાની શક્તિ અનુસાર કરે છે; પરંતુ હઠવાદથી પરિણામનિરપેક્ષ ક્રિયાઓ તેઓ કરતા નથી. આવા ગુરુના બળથી જ સંસારસમુદ્રને તરવો સુલભ છે. આવા સમર્થ થવા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનો મર્મસ્પર્શી બોધ આવશ્યક છે, માટે ગુણવાન ગુરુ પાસેથી તત્ત્વની પ્રાપ્તિ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથનો મર્મ જાણવા સદા ઉદ્યમ કરવો જોઈએ. ll૧૫/ અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જ્ઞાનરહિત માત્ર ક્રિયામાં રત સાધુઓ માર્ગમાં નથી, તેથી તેવી અનુચિત પ્રવૃત્તિ કરે છે. આવા ધુઓ ક્યારેક સંયોગ અનુસાર ગુણવાનની પ્રશંસા કરે તો પણ તેઓ માર્ગમાં નથી. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અભ્યસ્યો ભાષઈ રે;
તે પણિ અવગુણ પરિણમ, માયાશલ મનિ રાખઈ રે. શ્રી જિન I૧૫/૮ ગાથાર્થ :
ગુણપ્રિય આગળ=ગુણપ્રિય એવા અન્ય સાધુઓ કે શ્રાવક આગળ, અણછૂટતા=જે તેઓ આગળ મહાત્માના ગુણ ન ગાય તો પોતે સ્થાન પામે નહીં તેથી અણછૂટતા, અલ્પ જે ગુણ=જ્ઞાનવંત પુરુષોના જે અલ્પ ગુણ, તેને બોલે છે. તે પણ=મહાત્માના અ૫ ગુણોની પ્રશંસા પણ, માયાશલ્ય મનમાં રાખીને કરાયેલી હોવાથી અવગુણરૂપે પરિણમન પામે છે. ૧૫/૮ ટબો:
વલી, જે ગુણપ્રિય પ્રાણી છે, તે આર્ગે અણછૂટતા થકાં અવકાશ અણપામતાં, જે અલ્પસ્ય-થર્ષોઈક ગુણ ભાષણ કરેઈ જઈ, તે પણિ, તે હવઈ અવગુણરૂપ થઈને પરિણમઈ છઈ, જીર્ણ-માથાશલ્યરૂપ આત્મ પરિણામ રાખ્યો છઈ, તે પ્રાણીનઈં. I/૧૫/૮ ટબાર્થ :
વળી, જે ગુણપ્રિય પ્રાણી છે=જ્ઞાનવંત એવા ગીતાર્થના ગુણ પ્રત્યે પ્રીતિવાળા એવા સાધુ કે શ્રાવકો છે, તે આર્ગેeતેઓની પાસે, અણછૂટતા થકાં=અવકાશ અણપામતાં ગુણવંતના દોષને