________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ |ઢાળ-૧૫ | ગાથા-૧૧
૨૩૧ ભણ્યા છે અને શાસ્ત્રોના પારને પામ્યા છે તેથી જ્ઞાની છે, તોપણ દુર્લભ એવું સંયમ પાળવું તેઓને દુષ્કર જણાય છે; છતાં સંયમમાં રાગપૂર્વક ઉચિત ક્રિયા કરનારા છે, તેથી તેઓ પણ નિર્મળ કોટિના જ્ઞાનના બળથી સુખપૂર્વક સંસારને તરી શકે છે, માટે જ્ઞાનનો જ પક્ષ કરવો જોઈએ. તે બતાવવા અર્થે કહે છે –
ગાથા -
ચરણ-કરણગુણહીણડા, જ્ઞાનપ્રધાન આદરિઈ રે;
ઈમ કિરિયાગુણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિ રે. શ્રી જિન II૧૫/૧૧ ગાથાર્થ :
ચરણકરણગુણથી હીન જ્ઞાનપ્રધાન આદરનારા સાધુઓ આ પ્રકારે ચરણકરણગુણ પ્રગટે એ પ્રકારે, ક્રિયાગુણનો અભ્યાસ કરનારા ઈચ્છાયોગથી તરે છે શુદ્ધ ચરણકરણ કરવાની ઈચ્છાપૂર્વક સ્વ સામર્થ્ય અનુસાર અલિત પણ ક્રિયા કરીને સંસારથી તરે છે. ll૧૫/૧૧ાા ટબો:
જ્ઞાન ને ચરણ-તે ચારિત્ર, તેહના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહને સંસારસમુદ્ર તર દુર્લભ છઈ, માટઈ જ જ્ઞાનનું પ્રધાનપણું આદરીશું. યતિ:
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ।।१।। इतीच्छायोगलक्षणं ललितविस्तरादौ ।
ઈમ ક્રિયાનો જે ધોગ, તદ્રુપ જે ગુણ, તેનો અભ્યાસ કરીને ઈચ્છાયોર્ગ તરઈભવાર્ણવ પ્રતઈં. ૧૫/૧૧ી. ટબાર્ચ -
જ્ઞાન અને ચરણ ચારિત્ર, તેના ગુણથી જે હીન પ્રાણી છે, તેને સંસારસમુદ્ર તરવો દુર્લભ છે. માટે જ જ્ઞાનનું પ્રધાનપણું જેઓ આદરે છે અર્થાત્ ચારિત્ર સેવવામાં અસમર્થ હોવાને કારણે જ્ઞાન જ પ્રધાન આદરે છે. તા=જે કારણથી, (કહેવાયું છે.) –
કૃતાર્થસ્થ [મિછો =મૃતથી સાંભળેલા અર્થને કરવાની ઈચ્છાવાળા, જ્ઞાનિનોડપિ પ્રમાદ્દિન =જ્ઞાની પણ પ્રમાદીનો, નાિિવત્નો યોજ=કાલાદિથી વિકલ એવો જે યોગ, રૂછાયો: સ ૩તે તે ઈચ્છાયોગ કહેવાય છે. ||૧||
તીજીયોનલ નિતવિસ્તરતો=એ પ્રકારે “લલિતવિસ્તરા' આદિમાં ઈચ્છાયોગનું લક્ષણ છે.