________________
૨૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-૨-૩ કરે છે, તેથી કોઈ નયના અર્થની હાનિ થતી નથી, તેવા યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથ આપવો જોઈએ. આ પ્રકારની રીતિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ “યોગદૃષ્ટિસમુચ્ચય” નામના ગ્રંથમાં વખાણી છે. માટે તે પ્રમાણે જ યોગ્ય જીવને પ્રસ્તુત ગ્રંથ આપજો. એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે. II૧૬/શા અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથ કઈ રીતે ગ્રહણ કરવો જોઈએ? અને કોને આપવો જોઈએ ? તે બતાવ્યા પછી પ્રસ્તુત ગ્રંથ સામાન્ય ગ્રંથ નથી પરંતુ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ પણ છે, તેથી યોગ્યજીવને તેની ગંભીરતાનું ગ્રહણ થાય તે બતાવતાં કહે છે –
ગાથા :
સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી, ભલી પરિ સાંભલો તસ્વયણની ખાણી; એ શુભમતિ માતા, દુર્મતિવેલી-કૃપાણી,
એ શિવસુખસુરતરુફલરસસ્વાદનિસાણી. ૧૬/ ગાથાર્થ :
એ તો=આ ગ્રંથ તો, સામાન્ય જાણશો નહીં, કેમ કે જિન બ્રહ્માણી=ભગવાન વડે કહેવાયેલી બ્રાહ્મી લિપિ સ્વરૂપ ભગવાનની વાણી છે. ભલી પરિ સાંભલોવ્યથાર્થ તાત્પર્યનું ગ્રહણ થાય એ પ્રમાણે સાંભળો, તત્ત્વરત્નની ખાણ છે=આત્મામાં ઘણા ગુણોની નિષ્પત્તિ થાય તે રત્નોની ખાણ છે. એ=પ્રસ્તુત ગ્રંથનાં વચનો એ, શુભમતિની માતા=આત્મામાં સુંદર મતિ પ્રગટ કરે એવી માતા છે. દુર્મતિની વેલી માટે કૃપાણી છે અનાદિ કાળથી સ્થિર થયેલી સંસારની વૃદ્ધિના હેતુરૂપ એવી જે દુર્મતિરૂપ વેલી છે તેના છેદન કરવા માટે કુહાડી છે.
એ=પ્રસ્તુત ગ્રંથની વાણી, શિવના સુખ, એ રૂપ જે સુરતરુ કલ્પવૃક્ષ, તેના ફળના રસનો આસ્વાદ કરવાની નિશાની છે. ll૧૬/3II બો :
અને એનવાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ-જાણ. એ તો જિનપ્રણિત બ્રહ્માણી, યત –મજાવતા શ્રી ષમવેન ત્રાસ્યા સિવારે પવિરા, સા બ્રહ્મા' રૂત્યુચ્યતે |
ભલી પરિ સાંભલો-ધારો, તરૂપ જે રત્ન, તેહની એ ખાણી છઈ-ઉત્પતિ સ્થાનક છઈ. એ શુભમતિ-ભલી મતિ, તેહની માતા છઈ-રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ-મિથ્યાત્વાદિ, તદ્રુપ જે વેલી, તેહને છેદવાને કૃપાણીતુલ્ય છઈ.