Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ / ઢાળ-૧૬, ગાથા-૨ ગાથા : ગુરુ પાસઈ શીખી, અર્થ એહના જાણી, તેહનઈ એ દેજ્યો-જેહની મતિ નવિ કાણી; લઘુને નય દેતાં, હોઈ અર્થની હાણી, યોવૃષ્ટિસમુચ્ચય એહવી રીતિ વખાણી. ૧૬/શા ગાથાર્થ : ગુરુ પાસે શીખીને પ્રસ્તુત ગ્રંથના પારમાર્થિક અર્થને શીખીને, તેના અર્થને જાણીને=પ્રસ્તુત ગ્રંથના ગંભીર અર્થને યથાર્થ જાણીને, તેને એ દેજો તે વ્યક્તિને આ અર્થ આપજો, જેની મતિ કાણી નથી=ગંભીર અર્થને ધારણ કરવામાં સમર્થ છે પરંતુ અસમર્થ નથી, તેને આપજો. લઘુને= તુચ્છ જીવોને, નય દેતાં=પદાર્થને જોવાની જુદી જુદી દષ્ટિ દેતાં, અર્થની હાનિ થાય=૮ચ્છમતિવાળા જીવો સ્વમતિથી સ્વઅભિપ્રેત અર્થને ગ્રહણ કરીને પ્રસ્તુત ગ્રંથના અર્થની હાનિને કરે, એવી રીતિયોગ્યને આપવું જોઈએ એવી રીતિ, “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં વખાણી છે. I૧૬/રા. બો - એટલા માટે-સદગુરુ પાર્સ-ગીતાર્થ સંર્ગ, એહના અર્થ સમજીને લેવા, જિમ ગુરુ અદત્ત એ દોષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે ગુરુ સેવાઈ પ્રસન્ન થાઈ. તેહને-તેહવા પ્રાણીનેં, એ શાસ્ત્રાર્થ આપ, જેહની મતિ કાણી-છિદ્રાળી, ન હોઈ, છિદ્ર સહિત જે પ્રાણી, તેહને સુત્રાર્થ ન દેવો. કાણું ભાજન, તે પાણીમાં રાખીઈ, તિહાં સુધી ભર્યું દિસઈ, પછે ખાલી થાઈ. અને લઘને પણિ નથાર્થ દેતાં અર્થની હાણી થાઈ. તે માટે, સુરુચિ જ્ઞાનાથિને જ દે, પણ મૂર્ખને ન જ દેઊં. એહવી રીત યોવૃષ્ટિસમુચ્ચયપ્રન્થ વખાણી છઈ-વર્ણવી છઈ, હરિભદ્રસૂરિજીયે. ll૧૬/ ટબાર્થ : એટલા માટે=ભગવાનનું વચન અતિ ગંભીર છે તેથી યોગ્ય જીવો જ તેના પરમાર્થને જાણી શકે છે એટલા માટે, સદ્ગુરુ પાસે=ગીતાર્થના સંગે=પ્રસ્તુત ગ્રંથના પરમાર્થને જોવામાં સમર્થ એવા ગીતાર્થ પુરુષની પાસે, એના અર્થ સમજીને લેવા પ્રસ્તુત ગ્રંથના યથાર્થ અર્થને જાણીને ગ્રહણ કરવા. જેમ-જે પ્રમાણે, કરવાથી ગુરુઅદા એ દોષ ન લાગે. શુદ્ધ વાણી=ભગવાનનાં યથાર્થ વચનો, તે ગુરુસેવાથી પ્રસન્ન થાય=ગુરુગમથી યથાર્થ પ્રાપ્ત થાય.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300