Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 254
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૮-૯ ૨૨૭ કહેવાનો અવકાશ આણપામતા, જે અલ્પસ્યો=થોડોક, ગુણ ભાષણ કરે છે, તે પણ= અલ્પગુણની પ્રશંસા પણ, તે અજ્ઞાની સાધુને અવગુણરૂપ થઈને પરિણમન પામે છે. જેણે કઠોર આચરણાવાળા જે સાધુએ, માયાશલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છે=ગુણપ્રિય જીવો આગળ પોતાનું સારું દેખાય એ રૂપ માયાશલ્યરૂપ પોતાનો પરિણામ રાખ્યો છે, તે પ્રાણીને (તે પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે, તેમ અવય છે.) ૧૫/૮ ભાવાર્થ : જે સાધુઓ આત્મકલ્યાણના અર્થી છે તેથી સંયમ ગ્રહણ કર્યું હોવા છતાં પોતાની અલ્પ મતિ માટે ઉત્કર્ષયુક્ત મતિ તરીકેના બોધવાળા છે, તેથી પોતાની મતિઅનુસાર બાહ્યક્રિયાના ઉત્કર્ષથી પોતે ઉત્કર્ષવાળા છે તેમ તેઓ માને છે અને જ્ઞાનવંત ગીતાર્થોની સંવેગપૂર્વકની દેશના તથા સંવેગપૂર્ણ આચરણાઓના મર્મને જાણી શકતા નથી, તેથી જ્ઞાનવંત ગીતાર્થના લવ જેટલા અવગુણ હોય તેને લોકો આગળ દેખાડે છે. આમ છતાં ગુણપ્રિય અન્ય સાધુઓ કે શ્રાવકો હોય, તેઓની આગળ જો પોતે જ્ઞાનવંત પુરુષોના ગુણો બોલે નહીં તો પોતે અનાદરપાત્ર બનતો હોય તેથી પોતાની બાહ્ય આચરણાઓથી આદરપાત્ર થવાના અર્થી એવા તેઓ ગુણપ્રિય વ્યક્તિ આગળ ગુણવાનના ગુણો કહ્યા વગર ચાલે તેમ નથી તેથી તેઓના થોડાક જ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરે છે, તો પણ તેને હૈયામાં તો તે જ્ઞાની ગીતાર્થો અલ્પમતિવાળા અને કઠોર આચારણા કરનારા પોતાના જેવી ક્રિયા કરનારા નહીં હોવાથી ગુણરહિત જ જણાય છે. તેથી ગુણપ્રિય લોકો આગળ પોતાનો માયાશલ્ય પરિણામ રાખીને જે ગુણવાનના ગુણોની પ્રશંસા કરે છે, તે પ્રશંસા પણ કષાયના પરિણામથી સંવલિત હોવાને કારણે અવગુણરૂપે પરિણમન પામે છે અર્થાતુ પોતાની કઠોર આચરણા તો અવગુણરૂપે પરિણમન પામે છે; પરંતુ ગુણવાનના ગુણોની પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે. માટે અજ્ઞાની જીવો સંસારથી તરવા અસમર્થ છે તેમ ભાવન કરવું. ૧૫/૮ અવતરણિકા - ગાથા-૩થી ૮ સુધી જ્ઞાનવગરના સાધુ કેવા છે? તેનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવા સાધુનો પરિહાર કરવો જોઈએ, એ પ્રકારે ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : જ્ઞાનરહિત જેહ એહવા, જિનશાસન ધન ચોરાઈ રે; તેહ શિથિલપરિ પરિહરુ, છાવારનઈ જોઈ રે. શ્રી જિન II૧૫/લા ગાથાર્થ - - જેઓ જ્ઞાનરહિત એવા છે પૂર્વમાં વર્ણન કર્યું એવા છે, તેઓ જિનશાસનના ધનને ચોરે છે. તેવી શિથિલતાને હું 'છાયા'ના જોરથી અજીરાના વચનનોખળથી, પરિહરું છું. I૧૫) II *,

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300