________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૭
૨૨૫
ગાથા :
નિજ ઉતકરષથી હરષિયા, નિજ અવગુણ નવિ દાખઈ રે; જ્ઞાનજલધિગુણ અવગણી, અવગુણલવ બહુ ભાષઈ રે.
શ્રી જિન II૧૫/૭માં
ગાથાર્થ :
પોતાના ઉત્કર્ષથી હરખે, પોતાના અવગુણ ન દેખાડે, જ્ઞાનજલધિના ગુણો=ગીતાર્થ સાધુના ગુણો, અવગણે. અવગુણલવ ઘણા ગુણવાળા સાઘુમાં અલા અવગુણ હોય, તેને બહુ બોલે (તેવા અજ્ઞાની સાધુઓ છે.) II૧૫/ગી. ટબો :
જે નિજ કો પોતાન, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી હર્ષવંત છઈ, કિમ-તે “જે અચ્છે કહું છું તે ખરું; બીજ સર્વ ખોટું નિજ ક0 પતાના, અવગણ-દિવારહિતપણું, તે તો દાખતા પણિ નથી. જ્ઞાન રૂપ જે જલધિ ક0 સમુદ્ર, તે પ્રત્યે અવગણીને પ્રકર્ષે, જ્ઞાનવંતના અવગુણ, તદુરૂપ જે લવ, તે પ્રર્ત બહુ ભાખે છઈ. ll૧૫/૭માં ટબાર્થ -
જે નિજ કહેતાં પોતાનો=જે સાધુ પોતાનો, ઉત્કર્ષ=૭ઠવાદ, તેહથી હર્ષવંત છે, કેમ હર્ષવંત છે ? તે બતાવે છે –
‘જે અમે કહીએ છીએ, તે ખરું છે, બીજું સર્વ ખોટું છે એમ તેઓ કહે છે. નિજ કહેતાં પોતાના અવગુણ=મોહકાશને અનુકૂળ ક્રિયારહિતપણું, તે તો દેખાડતા પણ નથી. જ્ઞાનરૂપ જે જલધિ કહેતાં સમુદ્ર, અર્થાત જ્ઞાતવંત એવા ગીતાર્થ, તેના જે ગુણ, તે પ્રત્યે પ્રકર્ષથી અવગણીને અત્યંત અનાદર કરીને, જ્ઞાનવંતના અવગુણ, તે રૂપ જે લવ, તે પ્રત્યે બહુ ભાખે છે. ૧૫/૭ ભાવાર્થ
જે સાધુઓ નિશ્ચય સાપેક્ષ વ્યવહારની ક્રિયાઓને યોજવામાં કુશળ થયા નથી અને નિશ્ચયસાપેક્ષ સર્વ ઉચિત ક્રિયાઓ યોજવામાં સમર્થ એવા ગીતાર્થને પરતંત્ર થવામાં જેઓને પોતાનું ન્યૂનપણું જણાય છે તેઓને પોતે કઠોર બાહ્ય ક્રિયાઓ કરે છે તેથી ઉત્કર્ષવાળા છે એવો હઠવાદ છે. તેથી તેઓ વિચારે છે કે “આ મહાત્માઓ જ્ઞાન ભણે છે અને જ્ઞાનનું ફળ સંયમ છે, પરંતુ તેની કઠોર ક્રિયાઓ કરતા નથી અને માત્ર શાસ્ત્રો ભણીને પોતે ગીતાર્થ છે” એમ માને છે તેથી તેઓ કરતાં પોતે ઉત્કર્ષવાળા છે. આમ પોતાની જાત ઉપર હર્ષવાળા છે તેથી વિચારે છે કે “અમે જે કઠોર આચરણાઓ કરીએ છીએ, તે જ ખરું છે, બીજું સર્વ ખોટું છે”. આમ વિચારીને પોતાની ક્રિયાઓમાં મોહનાશને અનુકૂળ એવી ક્રિયાનું રહિતપણું છે તે તો