________________
૨૩૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૫/ ગાથા-પ-૬ જાણનારા નથી તેવા અજ્ઞાની જીવો તે ક્રિયાને કરીને પોતાના મોહના જ ભાવોને પુષ્ટ કરે છે. જેમ તે દેડકાનું દુઃખ એનો સહવાસી દેડકો જાણી શકે, તેમ આવા સાધુઓની સાથે જેઓ નિકટના પરિચિત હોય તેઓ જ જાણી શકે કે “આ સાધુ બાહ્ય તપત્યાગાદિ કરીને શિષ્ય પરિવારના અને માનખ્યાતિના અર્થી છે તેથી સાધુના કુળનો જ નાશ કરનારા છે; કેમ કે તેમના વચનનું અનુસરણ કરીને જેઓ ભાવિત થાય છે કે સંયમ ગ્રહણ કરે છે તેઓ વિનાશને પામે છે. માટે આ અજ્ઞાની સાધુઓ ભગવાનના શાસનનો ઉચ્છેદ કરનારા છે.
આમ બતાવીને ગ્રંથકારશ્રી એ સ્પષ્ટ કરે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું અત્યાર સુધી જ વર્ણન કર્યું તેના સૂક્ષ્મ પરમાર્થને જાણીને જે ગીતાર્થ થશે તે નિર્ણય કરી શકશે કે પોતાનો આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પ્રતિક્ષણ અન્ય અન્ય ભાવરૂપે થાય છે. વળી, આત્માના કલ્યાણને કરનારા કયા ભાવો છે ? અને આત્માના અકલ્યાણને કરનારા કયા ભાવો છે ? તેના પરમાર્થને જાણીને સંયમની સર્વ ઉચિત ક્રિયાઓને અંતરંગ મોહનાશનું કારણ બને તે રીતે યોજન કરીને પોતાનું હિત સાધશે અને અન્યને પણ હિત સાધવાનું પ્રબળ કારણ બનશે. જેઓ અજ્ઞાની છે અને જ્ઞાનીના વચનથી ચાલનારા નથી તથા સ્વમતિના ગર્વથી સ્વરુચિ અનુસાર ક્રિયાઓ કરનારા છે તે સર્વ પોતાનો વિનાશ કરશે. વળી તેમને જેઓ ભલા માને છે, તેઓ પણ તેમના દ્વારા પોતાનો વિનાશ કરશે. II૧૫/પા અવતરણિકા:
વળી એહ જ દઢઈ છઈ – અવતરણિકાર્ચ -
વળી, એ જ અજ્ઞાની જીવો સ્વપરનો વિનાશ કરે છે તેને જ, દઢ કરે છે – ગાથા :
બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ ટોલ રે; શત જિમ અંધ અદેખતા, તે તો પડિઆ છઈ ભોલઈ રે.
શ્રી જિન૦ ૧૫/ ગાથાર્થ :
જેમ અણદેખતા સો આંધળા ભેગા થાય છે તેમ જેઓ જ્ઞાનરહિત બહુવિધ બાહ્યક્યિા ટોળામાં કરે છે તે તો ભૂલા પડ્યા છે=આત્માના કલ્યાણના માર્ગમાં ભૂલા પડ્યા છે. II૧૫/
ટબો:
બહુવિધ-ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરાઈ છઈ, જ્ઞાનરહિત-જે અગીતાર્થ, તેહનેંટ્ઝલે-સંઘાર્ડ મીલીનઈં, તે, જિમ-શતઅંધ અણદેખતા જિમ મિલ્યા હોઈ, તે જિમ