________________
૨૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૬-૭ શભા ન પામઈ, તિમ-ર્ત તો ભલઈ પડ્યા છઈ, “ભાભાર્થસાધને કુરાતા:” રૂત્તિ પરમાર્થ: l/૧૫/ ટબાર્થ -
જ્ઞાનરહિત જે અગીતાર્થ બહુવિધ=ઘણા પ્રકારની, બાહ્મક્રિયા કરે છે, તેના ટોળે તે અગીતાર્થના ટોળા સંગાથે, મળે, તે=અગીતાર્થોનું ટોળું, જેમ નહીં જોતા સો આંધળા ભેગા થાય, તેઓ જેમ શોભા પામે નહીંsઉચિત માર્ગે પહોંચાડવાનું કાર્ય કરે તેવી શોભા પામે નહીં, તેમ તે તો=અગીતાર્થ સાધુઓનું ટોળું તો, ભોલઈ પડ્યા છf=ભૂલા પડ્યા છે, “ગાત્માર્થસાળને ગરાના =આત્માર્થસાધનમાં અકુશળ છે." રૂત્તિ પરમાર્થ =એ પ્રકારનો પરમાર્થ છે. ૧૫/૬ ભાવાર્થ :
જે સાધુઓ નિશ્ચય-વ્યવહારને ઉચિત સ્થાને જોડીને મોક્ષસાધક એવા નિશ્ચયના પરિણામનું કારણ બને તેવી બહુ પ્રકારની બાહ્યક્રયાના પરમાર્થને જાણવા સમર્થ નથી તેથી જ્ઞાનરહિત છે માટે અગીતાર્થ છે. આવા અગીતાર્થોનું ટોળું મળે તો પણ બાહ્યક્રિયાઓ કરીને મોક્ષમાર્ગમાં ગમનરૂપ શોભાને પામતું નથી.
જેમ અનેક પ્રકારના ગૂઢ માર્ગો જેમાં છે એવી અટવીમાં સો આંધળા ભેગા થઈને નક્કી કરે કે આ અટવીને આપણે પાર કરવી છે તેઓ ચક્ષુથી કાંઈ જોતા નહીં હોવાને કારણે ગૂઢ માર્ગવાળી અટવીમાંથી બહાર નીકળી શકે નહીં, તેમ સંસારરૂપી અટવી અનેક ગૂઢ માર્ગોથી આક્રાંત છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ સાક્ષાત્ કોઈ છદ્મસ્થ જોનાર નથી પરંતુ સર્વજ્ઞએ જ તેના ઉલ્લંઘનનો સૂક્ષ્મ માર્ગ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી જોયો છે. સર્વજ્ઞએ બતાવેલા તે માર્ગને શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર જોઈને જેઓ ગીતાર્થ થયા છે તેઓ જ ઉચિત સ્થાને તે તે ઉચિત ક્રિયાઓનું યોજન કરીને અંતરંગ મોહધારાના ઉન્મેલનને અનુકૂળ વ્યાપાર કરવાના પરમાર્થને જોનારા છે. તેઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત શ્રુતચક્ષુથી તે અટવીનું ઉલ્લંઘન કરી શકે છે; પરંતુ જેઓને તેવી શ્રુતચ પ્રાપ્ત થઈ નથી અને ટોળામાં મળીને બાહ્યક્રિયામાં રત છે તેઓ સંસારરૂપી અટવીના માર્ગમાં ભૂલા પડ્યા છે, તેથી આત્માના પરમાર્થને સાધવામાં અકુશળ છે, તેના કારણે બાહ્યક્રિયા કરીને પણ મોક્ષપથને સ્પર્શ કર્યા વગર મનુષ્યભવ વિફલ કરે છે. માટે કલ્યાણના અર્થીએ ગીતાર્થ ગુરુ પાસેથી દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને સ્પર્શે તેમ ઉચિત રીતે યોગમાર્ગના સેવનનું કારણ બને તે પ્રકારના રહસ્યને જાણવા યત્ન કરવો જોઈએ; જેથી પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન પણ સફળ થાય; નહીંતર ખંડ ખંડ ભણીને પંડિત થયેલા પંડિતમૂર્ખની જેમ દૂરન્ત સંસારમાં ભટકવાનું આવે. ૧૫/કા અવતરણિકા:
વળી, જેઓ ભગવાનના શાસનના પરમાર્થને પામ્યા નથી તથા માત્ર બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય અધ્યયનમાત્રમાં રત છે પરંતુ વીતરાગના વચનના રહસ્યને ઉચિત સ્થાને જોડવા માટે યત્ન કરનારા નથી, તેવા સાધુઓ મોક્ષપથમાં નથી. તે બતાવવા અર્થે કહે છે –